દ્વારકા રૂપણ બંદરના લોકોને સ્થળાંતરિત કરાયાં, સમજાવટથી લેવાયું કામ

author img

By

Published : May 17, 2021, 2:35 PM IST

દ્વારકા રૂપણ બંદરના લોકોને સ્થળાંતરિત કરાયાં, સમજાવટથી લેવાયું કામ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે. તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે દ્વારકા નજીક રૂપણ બંદર ખાતે શેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને અન્ય લોકોને સમજાવટથી શેલ્ટર હોમમાં લઇ જવામાં આવશે.

  • દ્વારકાના રુપણ બંદરે વાવાઝોડાની અસર સંભવિત
  • વહીવટીતંત્રે લોકોને સ્થળાંતરિત કરવાનું શરુ કર્યું
  • રુપણ બંદરના લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયાં




    દ્વારકા: હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. NDRFની 2 ટીમ અને 1 SDRFની ટીમ ગોઠવી દેવામાં આવી છે. ત્યારે દ્વારકાના રૂપણ બંદર પર આજ દ્વારકા પ્રાંત અધિકારી, ડીવાય એસપી સહિતના રેવન્યૂ અને પોલીસ જવાનો અને અન્ય કર્મીઓ દ્વારા શેેલ્ટર હોમમાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ રહી છે

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડું આજે સાંજે ગુજરાત પહોંચશે

રૂપણ બંદરના મોટાભાગના લોકોને અન્ય સ્થળે જવા માટે સમજાવવામાં આવ્યાં હતાં. જે બાદ તેઓને શેેલ્ટર હોમમાં લઇ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ રૂપણ બંદરમાંથી શેેલ્ટર હોમ ખાતે લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા એસટી વિભાગ દ્વારા પાંચ જેટલી બસ મૂકવામાં આવી છે. સાથે જ દ્વારકાના NDH હાઈસ્કૂલમાં રાખવામાં આવી રહ્યાં છે અને હજુ પણ મોટાભાગના લોકોનું સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે અને દરિયાકિનારાની નજીકમાં રહેતાં અને કાચા મકાન ઝૂંપડામાં રહેતાં વધુમાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શેેલ્ટર હોમ ખાતે ફૂડ પેકેટ અને પાણી સહિતની સુવિધા ઉભી કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડું: રાજયમાં એક લાખથી વધુ નાગરિકોનું સ્થાળાંતર કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.