Janmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો

author img

By

Published : Aug 18, 2022, 6:00 PM IST

Janmashtami 2022 દ્વારકામાં ઉજવણી માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ દર્શનના સમય જાણો

ભગવાન કૃષ્ણના 5249માં જન્મોત્સવને લઈને કાનાની નગરી દ્વારકામાં ઉજવણી ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે મંદિર વહીવટી તંત્ર અને પ્રશાસન તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. Janmashtami 2022 janmashtami 2022 date and time janmashtami 2022 date and time dwarka Dwarkadhish janmashtami celebration 2022 5249 Birth celebration of Lord Krishna

દ્વારકા જન્માષ્ટમી પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર દ્વારકા નગરી બની છે કૃષ્ણમય જોવા મળી રહી છે. તારીખ 18, 19 અને 20ના રોજ કૃષ્ણ જન્મ પર્વ એટલે કે જન્માષ્ટમીએ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરશેે. ત્યારે વાલાની વધામણીમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર્વને ગણતરીનો સમય બાકી છે ત્યાં આજથી જ દ્વારકા નગરીમાં ભક્તો જન્માષ્ટમી ઉત્સવ ઉજવવા માટે આવી પહોંચ્યા છે.

ભગવાન દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને જોવા મળી વિવિધ તૈયારીઓ

એન્ટ્રીની વ્યવસ્થા જાણી લો બીજી તરફ સમગ્ર દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. યાત્રાળુઓને પરેશાની ન થાય તે માટે પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે ખાસ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ભક્તોને દર્શન માટે હાથીગેટ પાસેથી એન્ટ્રી કરવાની રહેશે. ત્યાંથી 56 સીડીના ગેટમાં થઈ અને ભગવાન દ્વારકાધીશના ભક્તો દર્શન કરી શકશે.

શું છે તૈયારીઓ સાથે જ બહારથી આવતા લોકોને ખાણીપીણીમાં તેમજ હોટેલ તેમજ ધર્મશાળામાં રહેણાંકની વાત માં પણ તકલીફ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તો આ તકે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. તો પૂજારી પરિવાર દ્વારા પણ મંદિરની અંદરની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

શ્રીજીના દર્શનમાં રહેશે આ મુજબ ફેરફાર જન્માષ્ટમીના દિવસે તારીખ 19ના સવારે 6 વાગ્યે મંગળા આરતી ત્યાર બાદ સવારે 6 થી 8 સુધી મંગળા દર્શન ત્યાર બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન ત્યાર બાદ 10 વાગ્યે સ્નાન ભોગ 10:30 શૃંગાર ભોગ 11 વાગ્યે શૃંગાર આરતી 11:15 વાગ્યે ગ્વાલ ભોગ 12 વાગ્યે રાજભોગ ત્યાર બાદ બપોરે 1 થી 5 સુધી અનોસાર બંધ રખાશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન 5:30 થી 5:45 વાગ્યે ઉત્થાપન ભોગ ત્યાર બાદ 7:15 થી 7:30 સુધી સંધ્યા ભોગ 7:30 વાગ્યે સંધ્યા આરતી ત્યાર બાદ રાત્રે 8 થી 8:10 શયન ભોગ 8 :30 શયન આરતી 9 વાગ્યે અનોસાર બંધ ત્યાર બાદ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી ઉજવણી જન્મોત્સવ દર્શન 12 થી 2:30 ત્યાર બાદ અનોસાર બંધ રખાશે. ત્યાર બાદ તારીખ 20 સવારે 7 થી 10:30 સુધી વિશેષ પારણાં દર્શન રહેશે. Janmashtami 2022 janmashtami 2022 date and time janmashtami 2022 date and time dwarka Dwarkadhish janmashtami celebration 2022 5249 Birth celebration of Lord Krishna

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.