કેજરીવાલનું એલાન, 300 યુનિટ વીજળી ફ્રી અને જૂના વીજબિલ માફ

author img

By

Published : Sep 2, 2022, 6:31 PM IST

Updated : Sep 2, 2022, 7:24 PM IST

કેજરીવાલની દ્વારકાથી ફરી ગેરંટીની ગુંજ, ખેડૂતોને આપશે 300 યુનિટ મફત વીજળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં અરવિંદ કેજરીવાલ પણ તાબડતોબ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે દ્વારકામાં સભાસંબોધન કરી લોકોને ફરી એક ગેરંટીની જાહેરાત કરી છે.Gujarat Assembly Election 2022, Arvind Kejriwal Gujarat Visit Kejriwal guarantee in Gujarat

દ્વારકા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસના(Arvind Kejriwal Gujarat Visit) ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવી ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભગવાન દ્વારકાધીશની જય બોલાવી પોતાના ભાષણની શરૂઆત(Kejriwal guarantee in Gujarat)કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેટલી પણ પરીક્ષાના પેપરો ફૂટ્યા છે તેની તપાસ કરાવીશું. 2015 પછી જેટલા પેપર ફૂટ્યું છે તેના જવાબદારને જેલમાં મોકલીશું. 18 વર્ષ કરતા મોટી ઉંમરના મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું.

આમ આદમી પાર્ટી

કેજરીવાલની ખેડૂતોને ગેરંટીઓ

  1. ઘવ, ચણા, કપાસ, ચોખા, મગફળીની ફસલ સરકાર MSP ભાવે ખરીદશે.
  2. ખેડૂતોને દિવસના 12 કલાક વીજળી.
  3. જમીનનો રી સર્વે કેન્સલ કરી ખેડૂતોનેે સાથે રાખીને નવો સર્વે થશે.
  4. ખેડૂતનો પાક નુકશાન પર 20000 પ્રતિ એકર નુકશાની વળતર.
  5. નર્મદા નદી અને ડેમ વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવશે.
  6. ખેડૂતોને કરજો માફ

ખાણી પીણી પર ટેક્સ લગાવ્યા મહત્વનું છે કેજરીવાલે(Gujarat AAP)અત્યાર સુધીમાં ગુજરાતે માટે અનેક ગેરંટીની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ પણ તાબડતોબ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત પણ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, ખાણી પીણી પર ટેક્સ લગાવ્યા બાદ હવે તો તેઓ ગરબામાં પણ ટેક્સ લગાવી દીધો. અંગ્રેજોએ પણ ક્યારેય ખાણી-પીણી પર ક્યારેય ટેક્સ નહોતો નાખ્યો. ટેક્સના રૂપિયા અરબો કરતા પણ વધુ આવક છે.

આ પણ વાંચો AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

ટેક્સનો પૈસો ક્યાં જાય દેવું માફ કરવાની ગેરંટી પણ છે. આટલી મોંઘવારી પોતાની રીતે નથી વધતી છેલ્લા પાંચ વર્ષમાં એટલા કરવેરા નાંખ્યા કે ન પૂછો વાત, છાશ દહી, ચોખા, ઘઉં અને ગરબા પર ટેક્સ લગાવી દીધો છે. 75 વર્ષમાં કોઈએ ખાવા પીવાની વસ્તુ પર ટેક્સ નથી લગાવ્યો. આ લોકો એટલો ટેક્સ લે છે એટલા માટે મોંધવારી વધે છે. ખરબો રૂપિયામાં ટેક્સ આવે છે એ ક્યાં જાય છે? ટેક્સનો પૈસો ક્યાં જાય છે.

આ પણ વાંચો કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે, દ્વારકાધામથી વધુ એક ગેરંટીની જાહેરાત

મોંઘવારીથી છૂટકારો આપીશું આ લોકોએ પોતાના અરબોપતિ મિત્રોના કરજા માફ કર્યા છે. અબજોપતિઓએ બેન્કમાંથી લોન લીધી છે. એમની નિયત બગડી ગઈ. સાહેબ સાથે વાત કરીને કરજો માફ કરાવી લઈશું. એક માણસે 8 કરોડની લોન લીધી. એક માણસે 56 કરોડની લોન લીધી, 10 લાખ કરોડનો કરજો માફ કરી દીધો એ તમામ એના મિત્રો છે. આ લોકોએ ખાંડ પર ટેક્સ લગાવી દીધો છે. આ દેશમાં ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે અબજોપતિઓની?? મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધારાસભ્યોને ખરીદીને સરકાર બનાવી લીધી. દિલ્હીમાં પણ આવ્યા હતા. અત્યાર સુધીમાં તેમણે 277 ધારાસભ્યો ખરીદી લીધા છે. એ 650 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા આટલા માટે મોંઘવારી વધે છે. ગુજરાતમાં સરકાર બની તો મોંઘવારીથી છૂટકારો આપીશું.

Last Updated :Sep 2, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.