નેતાજીના આંટાફેરા: રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, દાહોદમાં ગજવશે સભા

author img

By

Published : May 9, 2022, 2:23 PM IST

Updated : May 10, 2022, 11:41 AM IST

નેતાજીના આંટાફેરા: રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, દાહોદમાં ગજવશે સભા

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે દાહોદની (Rahul Gandhi visit Dahod) મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં સળગતા પ્રશ્નો (Dahod Adivasi Satyagraha Rally) લઈને સંબોધન કરી કરશે. સાથે જ આદિવાસી સમાજની સંસ્કૃતિને લઈને લડતના કાર્યક્રમો ખુલ્લો મુકવાના છે.

દાહોદ : દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર ‘આદિવાસી સત્યાગ્રહ' રેલીમાં ઉપસ્થિત યોજાવાની છે. જેમાં આદિવાસી જનમેદની કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે (10 મે)એ સવારે 10 કલાકે સંબોધન (Rahul Gandhi visit Dahod) કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 27 બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદની મુલાકાતે

આ પણ વાંચો : ગ્રીષ્માં હત્યા કેસમાં ચુકાદા બદલ કોર્ટનો આભાર, રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહમાં પહોંચશે: જેનીબેન ઠુમમર

રાહુલ ગાંધીના સળગતા પ્રશ્નો - વિધાનસભાની આદિવાસી સમાજનું પ્રભુત્વ કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રેલીમાં રાહુલ ગાંધી અનેક પ્રશ્નો મુકનાર છે. મળતી માહિતી મુજબ આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે (Dahod Adivasi Satyagraha Rally) લડતનો નિર્ધાર જાહેર કરાશે. આ ઉપરાંત આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો (Tribal Satyagraha Rally) ખુલ્લો મુકનાર પણ છે. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતા પાર્ટીથી નારાજ જેને લઈને ચર્ચા થઈ શકે છે. તેમજ હાર્દિક પટેલ પણ કેટલાક સમયથી હાઈલાઈટમાં જોવા મળશે. ત્યારે આ કાર્યક્રમ હાર્દિક પટેલ હાજર રહેશે કે કેમ તે પણ પ્રશ્ન બની રહ્યો છે.

આદિવાસી સત્યાગ્રહ
આદિવાસી સત્યાગ્રહ

આ પણ વાંચો : Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત

આદિવાસીઓનો વિશેષ હક - વિપક્ષનું કહેવું છે કે, ભારત દેશના બંધારણે આદિવાસી (Tribal Rights) ભાઈ-બહેનોને વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. જે કોંગ્રેસ બચાવશે અને રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે સ્થાનિક પરિસ્થિતિ વિશે વાર્તાલાપ કરશે.

નેતાઓને આદીવાસી સમાજ કેમ વ્હાલો લાગે છે ? - ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવતી રહી છે તેમ તેમ નેતાઓને આદીવાસી વિસ્તાર ગળે વળગવા લાગ્યો છે. દિલ્લીના મુખ્યપ્રધાન પણ હવે આદીવાસી સમાજને લઈને ગુણગાન ગાવા લાગ્યા છે. તો બીજી તરફ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ આદિવાસી વિસ્તારના આટાંફેરા મારતા જોવા મળ્યા હતા. ત્યારે હવે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને ચુંટણીને લઈને આદિવાસી સમાજના પ્રશ્નો સંભળાણા હોય તેમ લાગી રહ્યું છે.

Last Updated :May 10, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.