દાહોદ જિલ્લામાં કમોસમી માવઠું સર્જાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

author img

By

Published : Feb 20, 2021, 7:26 PM IST

દાહોદ જિલ્લામાં કમોસમી માવઠું સર્જાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાને કારણે દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાથે સાથે દાહોદ તાલુકાના કતવારા વિસ્તારમાં વરસાદ સાથે કરા પણ પડયા હતાં. આથી, સમગ્ર દાહોદ પંથકમાં ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું છે.

  • દાહોદ જિલ્લામાં એકાએક હવામાનમાં પલટાના સાથે કમોસમી માવઠું
  • કેટલીક જગ્યાએ કરા પડ્યા તો કેટલી જગ્યા પર વરસાદી માહોલ
  • અનાજ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું

દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને કમોસમી વરસાદ સાથે કેટલીક જગ્યાએ બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તેમજ કરા પડવાના કારણે ઘઉં અને ચણાના પાકને નુકસાન થતાં ખેડૂતોને પડતા પર પાટું જેવો હાલ થવા પામ્યો છે.

દાહોદ તાલુકાના કતવારા વિસ્તારમાં વરસાદ સાથે કરા પડયા

દાહોદ જિલ્લામાં બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવતા જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ સર્જવાની સાથે વરસાદી માહોલ ઉભો થયો હતો દાહોદ તાલુકાના કતવારા સહિત મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા વિસ્તારોમાં કમોસમી માવઠા સાથે કરા પડ્યા હતા જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં કમોસમી માવઠાને કારણે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન

આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો ખુલ્લામાં પડેલો ખરીફ પાક તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર માં વેપારીઓનો બનેલો અનાજ પણ પલળી જવા પામ્યું છે જ્યારે વરસાદી કરા પડવાના કારણે ખેતરમાં રહેલ ચણા અને ઘઉંના ખરીફ પાકને પણ નુકસાન થવા પામ્યું છે તેમજ ખેડૂતોના ખળામાં પડેલ તૈયાર અનાજ પલળી જવાના કારણે ભારે નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.