છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત

author img

By

Published : Jul 28, 2021, 11:19 AM IST

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોત

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. રાત્રે 2:30 વાગ્યા આસપાસ ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

  • સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો
  • ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  • સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા

છોટાઉદેપુર : જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યા આસપાસ ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

કારને દૂર ખસેડવા માટે JCB મશીનની મદદ લેવાઇ

છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો. જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે JCB મશીનની મદદ લેવી પડી હતી.

આ પણ વાંચો : વડોદરામાં વાઘોડિયા પાસે અકસ્માતમાં એકનું મોત, CCTV સામે આવ્યા

પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી

મધ્યપ્રદેશ પાસિંગની (MP 10 CA 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં BRTS દ્વારા અકસ્માત ન થાય તે માટે જનમાર્ગ થયું એક્ટિવ

ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા

ST બસ કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. જોકે, બસમાં સવાર પ્રવાસીમાં કોઈને જાનહાનિ થઇ નથી. કારમાં ફસાયેલા લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.