લઠ્ઠાકાંડ મામલે 2 SPની બદલી સહિત 5 પોલિસ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

author img

By

Published : Jul 28, 2022, 11:28 AM IST

Updated : Jul 28, 2022, 11:56 AM IST

લઠ્ઠાકાંડ મામલે બોટાદના Sp કરણરાજ વાઘેલાની બદલી સહિત 5 પોલિસ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગે મોટા એક્શન લીધા છે. લઠ્ઠાકાંડમાં થયેલા 46 મોતના મામલામાં 2 SP સહિતા 5 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સસ્પેન્ડ કરવામાં આવેલ તમામ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

હેદરાબાદ : રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા 2 SPની બદલી સહિત 5 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં આમદાવાદ ગ્રામ્ય અને બોટાદના SPની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, 5 પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2 SPની બદલી : ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદના SP કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, બોટાદ DySP એસ કે ત્રિવેદી, ધોળકા DySP એન વી પટેલ, ધંધુકા PI કે પી જાડેજા, બરવાળા PSI બી જી વાળા સહિત રાણપુર PSI રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Last Updated :Jul 28, 2022, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.