હેદરાબાદ : રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ દ્વારા 2 SPની બદલી સહિત 5 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં આમદાવાદ ગ્રામ્ય અને બોટાદના SPની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, 5 પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
2 SPની બદલી : ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદના SP કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, બોટાદ DySP એસ કે ત્રિવેદી, ધોળકા DySP એન વી પટેલ, ધંધુકા PI કે પી જાડેજા, બરવાળા PSI બી જી વાળા સહિત રાણપુર PSI રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.