Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો

author img

By

Published : Jul 27, 2022, 9:31 PM IST

Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં ( Botad Lathha Kand )ઘાણા પરિવારોએ ઘરના મોભીને ગુમાવ્યા છે. આ ઘટનાએ બોટાદના રાણપરી ગામના માવજીભાઈનો ભોગ લઈ ( Death in Lathtakad )લીધો છે. માવજીભાઈ ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. હવે તેમના પત્ની નિરાધાર બન્યા છે.ETV Bharat રાણપરી ગામે પોહચ્યું અને તેમના પરિવાર સાથે વાત કરી. જાણો પરિવારની વેદના.

બોટાદઃ લઠ્ઠાકાંડમાં રાણપરી( Botad Lathha Kand )ગામના માવજીભાઈનો ભોગ લઈ લીધો છે. રાણપરીના માવજીભાઈના પત્ની નિરાધાર બન્યા છે. ઘરમાં દીકરો નથી અને એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. વૃદ્ધ મહિલા હવે માત્ર એકલી બનીને રહી ગઈ છે. વૃદ્ધ મહિલાને હવે આર્થિક આધાર( Death in Lathtakad )માત્ર સરકારી યોજના બનીને રહી ગઈ છે. જાણો વૃદ્ધાની સ્થિતિ.

બોટાદ લઠ્ઠાકાંડ

લઠ્ઠાકાંડે પરિવાર ઉજાળ્યો - લઠ્ઠાકાંડ જેને કેટલાયનો પેટનો કોળિયો લાવતા જીવસાથી તો કોઈનો દીકરો તો કોઈનો પિતા છીનવી લીધો છે. ETV Bharat રોજિંદથી ચાર કિલોમીટર રાણપરી ગામે પોહચ્યું હતું. રાણપરીના માવજીભાઈ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યા બાદ તેમની ધર્મપત્ની જતી જિંદગીએ નિરાધાર બન્યા છે.

આ પણ વાંચોઃ ગૃહપ્રધાને દર્દીને પૂછ્યું, "કેવી છે તબિયત ?, દર્દીએ કહ્યું- પોટલી આપોને..."

રાણપરીના માવજીભાઈ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા - બોટાદ જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડમાં રોજિંદમાં સૌથી( Liquor ban in Gujarat )વધુ લોકોનો ભોગ લેવાયો તો રોજીદ આસપાસના ગામડા બાકી રહ્યા નથી. રોજીદથી 4 કિલોમીટર નાનકડા રાણપરી ગામમાં 60 વર્ષના માવજી મોરવાડિયા જેને ઝેરી દારૂ પીધો અને જીવ ગુમાવ્યો છે. ઘરમાં માત્ર માવજીભાઈના પત્ની છે. એક દીકરી હતી જેના લગ્ન કરી દેવાયા છે પણ હવે તેમના પત્ની એક માત્ર રહી ગયા છે.

લાભુબહેન નિરાધાર બન્યા છે અને શરીરની કઠણાઈ - બોટાદ લઠ્ઠાકાંડમાં માવજીભાઈ ધરમશીભાઈ મોરવાડીયા એક માત્ર લાભુબહેનનો સહારો હતા. લાભુબહેન પણ 55 વર્ષના છે તેમનું પગનું ઓપરેશન કરાવેલું છે અને લોખંડની પ્લેટ નાખવામાં આવેલી છે. હવે પતિના અવસાન બાદ ઘર કેમ ચલાવવું અને શું કમાવું અને શું ખાવું તેની ચિંતા થાય છે. કુટુંબમાં લાભુબહેનના દેર અને જેઠ તો છે પરંતુ નિર્ભર કુટુંબ પર થવાના દિવસ આવ્યા છે. માવજીભાઈ ખેત મજૂરી કરીને પોતાનું અને પત્નીનું ગુજરાન ચલાવતા હતા.

આ પણ વાંચોઃ Latthakand Case in Gujarat : લઠ્ઠાકાંડ બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા કે ઉતારી દેવાયા ?

વૃદ્ધ માટે સરપંચ અપાવશે આર્થિક સહાય - રાણપરી ગામના માવજીભાઈના મૃત્યુ બાદ તેમના નિરાધાર બનેલા પત્ની લાભુબહેન માટે ગામના સરપંચે પહેલ કરી છે. સરપંચ મહિપતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમારા ગામના માવજીભાઈનું મૃત્યુ બાદ લાભુબેનને સરકારની વિધવા સહાય યોજનામાં ફોર્મ ભરાવીને આર્થિક મદદ કરવામાં આવશે જેથી તેમનું જિંદગીના પાછળના દિવસોમાં આર્થિક ચિંતામાં અને આર્થિક સંકડામણમાં કાઢવા પડે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.