શ્રવણ માસ નિમિતે હનુમાન દાદાને કરાયો શાકભાજીનો શણગાર

author img

By

Published : Aug 11, 2021, 11:14 AM IST

veg

આ સોમવારથી શ્રવાણ માસનો પ્રારંભ થયો છે અને વાતાવરણ ભક્તિમય બન્યું છે, દરેક મંદિરોમાં ભગવાનને અલગ-અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે. સાંળગપૂરમાં પણ હનૂમાન દાદાને શાકભાજીનો શળગાર કરવામાં આવ્યો છે.

  • શાકભાજીનો કરાયો શણગાર
  • દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી
  • રીગણ, ફુલાવર,કોબીજ,ટમેટા,વગેરે નો કરાયો શણગાર

બોટાદ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેના કારણે ચારે તરફ ભક્તિમય વાતાવરણ છે. શ્રાવણ મહિનામાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજી દાદાને શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. શાકભાજી સાથે દાદાના દર્શન કરી ભક્તો ને ધન્યતા પ્રાપ્ત થઈ તેવો ભાવ પ્રગટ થયો.

અલગ-અલગ શાકનો શણગાર

શ્રાવણ મહિનામાં માત્ર ભોળાનાથ નહિ પણ અન્ય મંદિરોમાં પણ ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. શ્રવણ મહિના નિમિતે વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાને અલગ અલગ શાકભાજી નો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં રીગણ, કોબીચ,ફુલાવર,ટમેટા સહિત અનેક શાકભાજી નો દાદા ને શણગાર કરવામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરવા આવનાર હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

હનુમાન દાદા ને શ્રવણ માસ નિમિતે કર્યો શણગાર

આ પણ વાંચો: સરકાર દ્વારા કચ્છના અભયારણ્યમાં પશું-પક્ષીઓની વર્ષોથી નથી કરી વસ્તી ગણતરી

દરરોજ અલગ અલગ સિંહાસનનું આયોજન

સાળંગપુર હનુમાનજી મંદિર ના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, દાદનો મંગળવાર હોવાના કારણે દાદા ના દરબાર ભક્તિ ભાવ થી ઉજવવા આવશે અને શ્રવણ મહિનામાં રોજ અલગ અલગ સિંહાસન સાથે દાદા ના દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: સરકારનો મહત્વનો નિર્ણય, 5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.