ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા ઉઠાવી બાંયો, CMના આગમન પહેલા આપ્યું આવેદન

author img

By

Published : Jan 6, 2023, 8:58 AM IST

Updated : Jan 6, 2023, 1:23 PM IST

ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ અશાંતધારો લાગુ કરવા ઉઠાવી બાંયો, CMના આગમન પહેલા આપ્યું આવેદન

ભાવનગરમાં હિન્દુ સંગઠનોએ ફરી એક વાર અશાંતધારો (Ashant Dhara Act) લાગુ કરવાની માગ તેજ કરી છે. અહીં મુખ્યપ્રધાન આવવાના છે. તેના એક દિવસ પહેલાં જ તેમણે કલેક્ટર કચેરી ખાતે (Hindu Organization demands for Ashant Dhara Act) આવેદનપત્ર આપ્યું (Application made before CM arrival) હતું. મુખ્યપ્રધાનના આગમન પૂર્વે અશાંતધારા માંગ પગલે હિન્દૂ સંગઠન એક થઈ આવેદન આપ્યું : સમય માંગ્યો ક્યારે મળશે ?

નાયબ કલેક્ટર સાથે શાબ્દિક ઘર્ષણ બાદ નરમાઈ

ભાવનગર શહેરમાં છેલ્લા 10 વર્ષથી અશાંતધારાની માગ થતી આવી છે, પરંતુ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે અત્યાર સુધી આ માગ સ્વીકારી નથી. ત્યારે હવે અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) આગમન પહેલા ફરી એક વાર હિન્દુ સંગઠનોએ અશાંત ધારો લાગુ કરવાની માગ (Hindu Organization demands for Ashant Dhara Act) કરી હતી. (Application made before CM arrival)

રેલીમાં 1 હજારથી વધુ લોકો જોડાયા ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો (Bhavnagar Hindu Organization) એક બનીને મેદાનમાં ઉતર્યા છે. જશોનાથ સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. શ્રીરામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 1,000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. જોકે, આવેદનપત્ર નીચે આવીને સ્વીકારવા બાબતે નાયબ કલેકટરે (Bhavnagar Deputy Collector) પહેલા મનાઈ ફરમાવી અને બાદમાં નીચે ઉતર્યા હતા.

મુખ્યપ્રધાનના આગમનના એક દિવસ પૂર્વે અશાંતધારા માગ શહેરમાં અશાંતધારા (Ashant Dhara Act) મામલે મુખ્યપ્રધાનના આગમનના એક દિવસ પૂર્વે મહારેલી યોજવામાં આવી હતી. ગુજરાતના અન્ય મહાનગરોમાં હોય ત્યારે ભાવનગરમાં કેમ નહીં? સવાલ સાથે વિવિધ હિન્દૂ સંગઠનો (Hindu Organization demands for Ashant Dhara Act) અને દરેક વિસ્તારમાં વિદ્યર્મીઓનો પ્રશ્ન હોય તરવા વિસ્તારના લોકો મહારેલીમાં જોડાયા હતા.

કયા કયા રાજકીય આગેવાનો જોડાયા અને કયા વિસ્તાર પ્રભાવિત અશાંતધારાની માગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમ જ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ, વડવા સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો (Ashant Dhara Act) લાગુ પડ્યો છે. અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે. ત્યારે વહેલી તકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રૂપાણી હિન્દુ એકતા મંચ, સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા 8 મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી હતી.

આ પણ વાંચો ભાવનગરમાં ફરી એકવાર અશાંત ધારાને લઈને મામલો ગરમ

નાયબ કલેક્ટર સાથે શાબ્દિક ઘર્ષણ બાદ નરમાઈ કલેકટર કચેરીએ કલેકટર અનઉપસ્થિત રહેતા નાયબ કલકેટર (Bhavnagar Deputy Collector) બી. જે. પટેલને VHP અને બજરંગ દળ જેવા નેતાઓ દ્વારા નીચે આવીને આવેદન સ્વીકારવા જણાવ્યું હતું, પરંતુ નાયબ કલેકટરે મનાઈ ફરમાવીને અલવ અલગ સંગઠન (Hindu Organization demands for Ashant Dhara Act) હોય તો પણ એક પછી એક મળી (Hindu Organization demands for Ashant Dhara Act) જાય તેવો આગ્રહ રાખતા શાબ્દિક ઘર્ષણ થયું હતું. આથી રેલીમાં આવેલા લોકોના રામધૂન બાદ આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની (Ashant Dhara Act) રજુઆત અને આવેદનપત્ર સ્વીકારવા ઓફિસમાંથી નીચે પહોંચતા મામલો શાંત થયો હતો.

આ પણ વાંચો જૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ

બીજા કાયદા માટે પણ દાયકાઓથી રજૂઆત કરાઈ છે જોકે, આવેદન સ્વીકાર્યા બાદ ક્યાં સુધીમાં અશાંતધારો લાગુ (Ashant Dhara Act) થશે તેની તારીખની માગ દરેક લોકો દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ (Disturbed Areas Act) લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનોને મેદાન પર ઉતરવું પડ્યું હતું.

કેવા પ્રકારની સમસ્યાઓ અને ચાલતી સ્કીમ શું શહેરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારમાં અમુક મકાનો ખરીદી કરવા તેની ઊંચી રકમ ચૂકવે છે. ત્યારબાદ હિન્દુ લોકોને અમુક પ્રવૃત્તિઓ કરી માનસિક ત્રાસ આપી મકાનો વેચવા માટે મજબૂર બનાવવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવામાં આવે તો દરેક ધર્મના લોકો સુરક્ષાનો અનુભવ કરી શકે તેવી માંગ ઉઠી હતી. ભાવનગરના વિવિધ સંગઠનો (Hindu Organization demands for Ashant Dhara Act) દ્વારા રજૂઆતો આવી છે. અશાંતધારા (Ashant Dhara Act) લાગુ કરવાની રજુઆતો આવી છે, જેને અમે સરકારમાં મોકલી આપીશું. અગાવ અરજીઓ આવેલી છે. તેને પણ સરકારમાં મોકલવામાં આવી છે.

Last Updated :Jan 6, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.