માં તારો ગરબો ઝાકમઝોળ, પહેલા દિવસે ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચડ્યું

author img

By

Published : Sep 27, 2022, 9:50 AM IST

માં તારો ગરબો ઝાકમઝોળ, પહેલા દિવસે ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચડ્યું

અંબાજીમાં નવયુવક પ્રગતિ મંડળના પદાધિકારીઓએ (yatradham Ambaji Temple Navratri) દીપ પ્રગટાવી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે નવરાત્રીના પહેલા દિવસથી જ માં અંબેના ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચડ્યું હતું. (Ambaji Navratri 2022)

અંબાજી માં અંબા આદ્યશક્તિ જગદંબાની આરાધનાનો પર્વ એટલે (Ambaji Navratri 2022) નવરાત્રી. જેમાં ખેલૈયાઓ જેની છેલ્લા બે વર્ષથી ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેવાં પાવનપર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના પહેલા દિવસથી જ માં અંબેના ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચડ્યું હતું. ચાચરચોકમાં ગઈકાલે પ્રથમ નોરતે નવયુવક પ્રગતિ મંડળના પદાધિકારીઓ દીપ પ્રગટાવી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. (Navratri at Ambaji Chacharchowk)

માં તારો ગરબો ઝાકમઝોળ, પહેલા દિવસે ચાચરચોક ખેલૈયાઓથી હિલોળે ચડ્યું

ચાચરચોકમાં ગરબા આદિવાસી આશ્રમ શાળાની કન્યાઓ દ્વારા એક હજાર દીવડા (Navratri 2022) માથે ઉપાજી માતાજીની આરતી કરી હતી. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યાં નવયુવક પ્રતીમંડળ અંબાજીમાં કલાકારોને પણ આવકાર્યા હતા. નવરાત્રીના પ્રથમ નોરતે જ માં અંબાના ચાચરચોકમાં બાલા, અબાલ, વૃદ્ધ સહિત માં અંબાના ગરબાની મોજ માણતા નજરે પડ્યાં હતા ને ચાચરચોકને ગરબાની કોખમાં સમાઈ (yatradham Ambaji Temple Navratri) લેવાનો પ્રયત્નો થયો હતો.

PM મોદી અંબાજીમાં એટલું જ નહીં અંબાજી ખાતે ચાચર ચોકમાં યોજાઇ રહેલા ગરબામાં પ્રત્યેક દિવસે ગુજરાતી ફિલ્મના અભિનેતાને આલ્બમ ગાયક કલાકારો ખેલૈયાઓને મોજ કરાવશે. જોકે આ વખતે પાંચમા નોરતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી આવનાર છે. તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગરબા ચાચરચોકમાંથી અન્ય સ્થળે ખસેડી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. (First day of Navratri)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.