સરકારના પેટનું પાણી ન હલતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ પશુઓને રસ્તા પર છોડી મૂક્યા

author img

By

Published : Sep 23, 2022, 1:57 PM IST

Updated : Sep 23, 2022, 3:41 PM IST

સરકારના પેટનું પાણી ન હલતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ પશુઓને રસ્તા પર છોડી મૂક્યા

બનાસકાંઠામાં 170 ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને છોડી (Gaushala Panjrapole released) મૂકાયા છે. ત્યારે મોટા ભાગના પશુધન તો સરકારી કચેરીઓમાં પહોંચી ગયા હતા. સરાકરે 500 કરોડ રૂપિયાની સહાય ન ચૂકવતા ગૌશાળા સંચાલકોએ (government announcement for gaushala) આ પગલું ભર્યું હતું.

બનાસકાંઠા સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત (government announcement for gaushala) કરી હતી. તેમ છતાં આ સહાય ન ચૂકવાતા હવે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો રોષે (Gaushala Panjrapole released) ભરાયા છે. ત્યારે જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને (Gaushala Panjrapole released cattle) ખૂલ્લા મૂકી દેવાયા છે. તેના કારણે આ પશુઓ ફરતા ફરતા સરકારી કચેરીઓમાં પહોંચી ગયા હતા.

સરકારે સહાય જાહેર કરી પણ આપી ન હોવાથી રોષ

ગૌશાળા અને પાંજરાપોળમાં આંદોલન શરૂ સરકારને આખરી ચેતવણીના ભાગરૂપે આજે બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મૂક્યા (Gaushala Panjrapole released cattle) છે. આ તમામ ઢોરને સરકારી કચેરીઓમાં લાવીને પૂરવામાં આવશે. ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતા પાંજરાપોળ સંચાલકોએ સરકાર પાસે સહાયની માગણી કરતા સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. 6 મહિના બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકારને રિઝવવાનો તમામ પ્રયાસો કર્યા હતા.

ગૌશાળા સંચાલકોએ આપી ચિમકી છેલ્લે સમગ્ર ગુજરાત બંધનું એલાન (Gujarat Bandh Call) પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનો અલ્ટીમેટમ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી (Gaushala Panjrapole released cattle) સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા હવે આજે વહેલી સવારે બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યા છે.

ગૌશાળા અને પાંજરાપોળમાં આંદોલન શરૂ
ગૌશાળા અને પાંજરાપોળમાં આંદોલન શરૂ

પશુઓને સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે પાંજરાપોળમાંથી ઢોર છોડવાના હોવાની (Gaushala Panjrapole released cattle) જાણ થતા પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓની આજુબાજુ બેરિકેટ ઉતારી દીધા હતા. અહીં મોટો પોલીસ ફોર્સ ઉતારી (Banaskantha Police) દીધો હતો. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતા પોલીસે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યા છે. થોડી વારમાં આ છોડી મૂકાયેલા તમામ પશુઓને ડીસા સહિત થરાદ, લાખણી, ભાભર, સહિતની સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે.

રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં પશુઓ પહોંચ્યા જિલ્લામાં આજે વહેલી સવારથી જ તમામ પશુધન ગૌશાળા અને પાંજરાપોળોમાંથી છોડી મૂકવામાં આવ્યું હતું. ખાસ કરીને જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળમાં 80,000થી પણ વધુ પશુધન નિર્વાહ કરે છે. ત્યારે સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની સહાયના ચૂકવતા આજે જિલ્લાના મોટા ભાગના તાલુકામાં પશુધન સરકારી કચેરીઓમાં પહોંચ્યું હતું. તો થરાદ ખાતે પણ મામલતદાર કચેરીમાં (Tharad Mamlatdar Office) પશુધન પહોંચી જતા પોલીસમાં (Banaskantha Police) મચી જવા પામ્યો હતો.

Last Updated :Sep 23, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.