કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો

author img

By

Published : Nov 19, 2021, 6:27 PM IST

કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો

કેન્દ્ર સરકારે (Central Government)આજે ત્રણ કૃષિ કાયદા (Three agricultural bills)પરત ખેંચવાની જાહેરાત કરતા બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ હોવાનું જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) આજે રાષ્ટજોગ સંદેશ આપતા ખેડુતોની માફી માંગી 17 સપ્ટેમ્બર 2020 ના લોકસભામાં ત્રણ કૃષિ કાયદાને મંજૂરી આપી હતી. જેને આજે પરત ખેંચતા સમગ્ર દેશના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. આ બિલ પરત ખેંચવાના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના(Deesa Banaskantha ) નાના ખેડૂતોને મોટું નુકસાન થશે. કારણ કે કેન્દ્ર સરકારના આ કૃષિલક્ષી કાયદાઓથી નાના ખેડૂતોને અનેક ઘણા ફાયદા થતા હતા.

  • કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો
  • કૃષિ બિલ પરત લેવાતા બનાસકાંઠાના ખેડૂતોએ આપી પ્રતિક્રિયા
  • આ નિર્ણયથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી તો ક્યાંક દુઃખી માહોલ

બનાસકાંઠાઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાષ્ટજોગ સંદેશ આપતા ખેડુતોની માફી માંગી 17 સપ્ટેમ્બર 2020 ના લોકસભામાં ત્રણ કૃષિ કાયદાને(Three agricultural bills) મંજૂરી આપી હતી. જેને આજે પરત ખેંચતા સમગ્ર દેશના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. ત્યારે ડીસા સહિત બનાસકાંઠાના ખેડૂતોએ આ કૃષિ કાયદા (Agricultural law )પરત ખેંચવાના નિર્ણયને આવકર્યો નથી. ખેડૂતોનું માનવું છે કે જો કાયદા પરત ખેંચવા હતા તો જેતે સમયે પરત ખેંચી લેવા હતા અને કાયદા પરત ખેંચવા કરતા સંશોધન કરવાની જરૂર હતી. સાથે ખેડૂતોએ એવું પણ જણાવ્યુ હતું કે આ કાયદો પરત ખેંચવાનું કારણ આગામી ચૂંટણી પણ હોઈ શકે.

નાના ખેડૂતોને નુકશાન

કેન્દ્ર સરકાર દ્વારા આજે કૃષિ કાયદાના ત્રણ બિલો પરત(Return of three bills of agricultural law) ખેંચવાનો નિર્ણય લીધો હતો એનાથી ડીસા સહિત બનાસકાંઠા (Deesa Banaskantha )જિલ્લામાં ખેડૂતોને ક્યાં ફાયદો તો ક્યાંક નુકસાન જોવા મળ્યુ હતું. કેન્દ્ર સરકારના કૃષિ બિલ પરત ખેંચવાના નિર્ણય પર ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી મોટા વ્યાપારીઓને ફાયદો થશે નાના ખેડૂતો માટે તો આ ત્રણે બિલ ફાયદાકારક હતા. આ બિલ પરત ખેંચવાના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના નાના ખેડૂતોને મોટું નુકસાન થશે. કારણ કે કેન્દ્ર સરકારના આ કૃષિલક્ષી કાયદાઓથી નાના ખેડૂતોને અનેક ઘણા ફાયદા થતા હતા. અને આ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય વગર તેમાં હજુ પણ અનેક સંશોધનો કરી અને ખેડૂતોને આપવાના હતા જેનાથી ખેડુતોને ફાયદાઓ થઈ શકે.

કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો

સરકારના નિર્ણયને આવકર્યો

કૃષિ કાયદો પરત ખેંચ્યા બાદ કેટલાક ખેડૂતો સરકારનો આભાર માન્યો હતો. જોકે સરકાર એ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હોવાનું પણ જણાવ્યું હતું સાથે ખેડૂતોના આંદોલનમાં એક ટોળું હતું જે ખેડૂતોનના નામે આંદોલન કરી રહ્યા હતા જેમાં સાચા ખેડૂતો નોહતા. કૃષિ કાયદા પરત ખેંચાયા બાદ બનાસકાંઠાના ખેડૂતો આ નિર્ણયને નથી તો આવકાર્યો કે નથી નિર્ણયની અવગણના કરી.

આ પણ વાંચોઃ કૃષિ કાયદાની જાહેરાત કરી તેમાં અમને શંકા, પી.એમએ સત્ર બોલાવીને જાહેરાત કરવી જોઈએ
આ પણ વાંચોઃ કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.