બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો

author img

By

Published : Nov 20, 2021, 12:43 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો

બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના(Earthquake in Banaskantha) આંચકો અનુભવાયો હતો. ગત મોડી રાત્રે 4.6ની તીવ્રતાનો ભૂકંપની અસર પાલનપુર(Earthquake in Palanpur) સુધી જોવા મળી હતી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ(epicenter of the earthquake) રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું

  • બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા
  • પાલનપુરમાં સતત ત્રીજા દિવસે ધરતીકંપના આંચકા
  • ત્રણેય ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાન

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી લોકો ભૂકંપના(Earthquake in Banaskantha) આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડી રાત્રે પણ રાજસ્થાન પાસે 2.26 વાગે 4.6ની તીવ્રતાનો ભૂકંપની અસર પાલનપુર સુધી જોવા મળી હતી. બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા પાલનપુર(Earthquake in Palanpur) સુધી ધરા ધ્રુજી ઊઠી હતી.

આમ, બનાસકાંઠા જિલ્લામાં(earthquake 2021) સતત ત્રણ દિવસથી રાત્રિના સમયે લોકો ધરતીકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે, બે દિવસ અગાઉ પણ પાલનપુરથી ઉત્તર પશ્ચિમ (gujarat earthquake 2021) તરફ 136 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.

ત્રણ વખત ભૂકંપ છતાં કોઈ નુકસાની નઈ

આ ઉપરાંત ગત રાત્રિએ પણ પાલનપુરથી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઇ હતી. સતત ત્રણ દિવસથી રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો(earthquake shock) અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે, જોકે આ ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી.

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે

આ પણ વાંચોઃ Horoscope for the Day 20 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.