કેંદ્રના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા શામળાજીમાં જન જાગૃતિ કાર્યક્રમ, વિભિન્ન યોજનાઓની અપાશે માહિતી

author img

By

Published : Nov 17, 2021, 8:27 PM IST

કેંદ્રના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા શામળાજીમાં જન જાગૃતિ કાર્યક્રમ

શામળાજી (Shamlaji) ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ (Department of Information and Broadcasting) દ્વારા લોકોને કેન્દ્ર સરકાર (Central Government) તથા રાજ્ય સરકારની યોજનાઓ (State Government Schemes)નો લાભ મળી રહે અને માહિતી મળી રહે તે હેતુથી 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે. કાર્યક્રમમાં નાટક (Drama) દ્વારા જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન
  • કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે તે હેતુ
  • વિભિન્ન યોજનાઓનો વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે

શામળાજી: અરવલ્લી (Aravalli) જિલ્લામાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ (Department of Information and Broadcasting) દ્વારા લોકોને કેન્દ્ર સરકાર (Central Government) તથા રાજ્ય સરકારની યોજનાઓનો (State Government Schemes) લાભ મળી રહે તે હેતુથી 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે, જેમાં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ (Integrated Communication and Outreach) દ્વારા યોજનાકીય જાણકારી અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓનો વિશેષ પ્રચાર-પ્રસાર (Publicity of various schemes) કરવામાં આવશે.

કેંદ્રના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા શામળાજીમાં જન જાગૃતિ કાર્યક્રમ, વિભિન્ન યોજનાઓની અપાશે માહિતી

નાટક રજૂ કરી લોકોમાં જાગૃતિ ફેલાવાનો પ્રયાસ

કેંદ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ (Central and State Government schemes)ની માહિતી જનજન સુધી પહોંચે તે માટે અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓ ઉપરાંત 'બેટી બચાઓ, બેટી પઢાઓ' (Beti bachao beti padhao), 'પાણી બચાવો' જેવા અનેક સંદેશાઓ નાટક રૂપે રજૂ કરી જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 5 દિવસીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યુ છે.

લોકોમાં જાગૃતિ લાવવા સ્ટોલ લગાડવામાં આવ્યા છે

આ ઉપરાંત શામળાજીના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક અને કચરાને એકઠો કરીને તેનો નિકાલ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. લોકોમાં જાગૃતિ લાવવા તેમજ લાભો પહોંચાડવા માટે સ્ટોલ લગાડવામાં આવ્યા છે. તેમજ કોરોના રસીકરણ માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેકને રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં સાંસદ દિપસિંહ રાઠોડ, કેન્દ્રીય માહિતી પ્રસારણ અધિકારી સરિતા દલાલ, શામળાજી મંદિરના વાઈસ ચેરમન રણવીર સિંહ ડાભી, જિલ્લા આર્યુવેદ અધિકારી જગદીશ કટારા, રિજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના ફીલ્ડ એક્ઝિબિશન ઓફીસર સુમન મછાર, પાલનપુર અધિકારી જે.ડી.ચૌધરી, જિલ્લા પશુપાલન અધિકારી જીતુભાઈ ભુતડિયા, ભિલોડા તાલુકા વિકાસ અધિકારી નવીન પરમાર, સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી દેવેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લીમાં શામળાજી મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા 'લોક સંપર્ક' કાર્યક્રમનું આયોજન કરાયું

આ પણ વાંચો: આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.