અરવલ્લીમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશનની સ્થાપના કરવામાં આવી

author img

By

Published : Jul 23, 2022, 4:18 PM IST

અરવલ્લીમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશનની સ્થાપના કરવામાં આવી

અરવલ્લીના મોડાસામાં આવેલ જિલ્લા કોર્ટમાં ગ્રાહક સુરક્ષાના કાયદા (Consumer Protection Law)તથા નિયમોની જાણકારી માટે કાનૂની જાગૃતિ શિબીર યોજવામાં આવી હતી. ગ્રાહક ફોરમની શરૂઆત અગામી એક અઠવાડીયામાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ જિલ્લા કોર્ટમાં (Aravalli Legal Awareness Camp)શુક્રવારના રોજ ગ્રાહક સુરક્ષાના કાયદા તથા નિયમોની જાણકારી માટે કાનૂની જાગૃતિ શિબીર યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વકીલોએ ભાગ લીધો હતો. આગવું ગ્રાહક સુરક્ષા ફોરમ ફાળવવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી છવાઇ વર્ષ 2016માં જિલ્લા ન્યાલયનું સ્થાપન થયું હતું.

ગ્રાહક તકરાર નિવારણ

આ પણ વાંચોઃ ગ્રાહક કાયદો તેના ધ્યેય હાંસલ કરી શકશે?

સુરક્ષા કાયદાને લગતી જાણકારી આપવામાં આવી - મોડાસામાં આવેલ જિલ્લા કોર્ટમાં શુક્રવારના રોજ ગ્રાહક સુરક્ષાના કાયદા તથા નિયમોની જાણકારી માટે કાનૂની જાગૃતિ શિબીર (Consumer Protection Law)યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશનના(Consumer Disputes Redressal State Commission)પ્રમુખ તથા ગુજરાત હાઇકોર્ટના(નિવૃત્ત) જસ્ટીસ વી.પી. પટેલ અને સાબરકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ એ.એસ.ગઢવી દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદાને લગતી જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Backlog in Gujarat's Consumer Court: રાજ્યની ગ્રાહક કોર્ટમાં 1990થી 2021 સુધી કુલ 34178 કેસ પેન્ડિંગ

2016માં જિલ્લા ન્યાલયનું સ્થાપન - આ સાથે જ અરવલ્લીમાં જિલ્લા ગ્રાહક ફોરમની શરૂઆત અગામી એક અઠવાડીયામાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અત્રે નોધનીય છે કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી વિભાજન થયા બાદ વર્ષ 2016માં જિલ્લા ન્યાલયનું સ્થાપન થયું હતું . જોકે ગ્રાહક સુરક્ષા ફોરમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે સંયુકત ચાલતું હતું. અરવલ્લી માટેને આગવું ગ્રાહક સુરક્ષા ફોરમ ફાળવવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી છવાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.