મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા

author img

By

Published : Jul 19, 2021, 2:26 PM IST

મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા

અરવલ્લીના મેઘરજમાં જૂથ અથણામણમાં થતા 4 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પાલીસ કાફલો ઘટ સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

  • મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા
  • સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી
  • પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થિપર કાબૂ મેળવ્યો

અરવલ્લી: જિલ્લાના મેઘરજ નગરમાં રવિવારની સાંજે 2 જૂથો વચ્ચે અથડામણ થતા વાતાવરણમાં તંગદીલી ફેલાઇ હતી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતી પર કાબૂ મેળવાયો હતો. અથડામણ જેવી નજીવી બાબતની તકરારે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

મેઘરજમાં જૂથ અથડામણ 4 વ્યક્તિઓને ઇજા
મેઘરજમાં જૂથ અથડામણ 4 વ્યક્તિઓને ઇજા

આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

બન્ને જૂથો વચ્ચે અથડામણ

મેઘરજમાં જુના બજારમાં એકા-એક બે જૂથો આમનેસામને થતા નાસભાગ મચી હતી. બન્ને જૂથોએ એક બીજાપર કાચની બોટલો અને પથ્થરમારો કરતા 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી સહિત પોલીસના ઉચ્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે તાબડતોડ હરકતમાં આવી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અથડામણ થતા સમગ્ર મેઘરજમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા

સમગ્ર ઘટનાનાને લઇને તપાસ શરૂ કરાઇ

ઘટના પગલે અફવાઓ ફેલાવી લાગી હતી અને અથડામણ થવાના જુદા-જુદા કારણો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે હજુ ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.