પાણી પહેલા પાળઃ પંપહાઉસની મુલાકાત લેતા પુરવઠા પ્રધાન બાવળીયા

author img

By

Published : Dec 31, 2022, 3:56 PM IST

water-crisis-in-summer-kunwarji-bavlia-meeting-with-officials-to-consider-need-for-drinking-water-irrigation

પાણી પુરવઠા પ્રધાને આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવની મુલાકાત (Kunwarji Bavlia visited ananad ans kheda) લીધી. તેમજ આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઉનાળાના દિવસોમાં લોકોને પીવાના (meeting with Officials to Consider water crisis) પાણીની કોઈ તકલીફ ના પડે તે બાબતે આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું (Kunwarji Bavlia meeting with Officials) હતુ.

ઉનાળા પહેલા પાળ બાંધવામાં લાગ્યા પાણી પુરવઠા પ્રધાન

આણંદ: પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવ તેમજ હેડ વર્કસ પમ્પીંગ સ્ટેશન અને સંમ્પની મુલાકાત (Kunwarji Bavlia visited ananad ans kheda) લઈ આ તળાવ આધારિત પીવાના પાણી અને સિંચાઈ માટે કાર્યરત યોજનાઓની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારી ઓ સાથે ચર્ચા–વિચારણા કરી આગામી (meeting with Officials to Consider water crisis) ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઉનાળાના દિવસોમાં લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે બાબતે આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ (Kunwarji Bavlia meeting with Officials) હતુ.

આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

પાણી-પુરવઠા પ્રધાનના સૂચન: પુરવઠા પ્રધાને બંને તળાવો સંલગ્ન યોજનાઓની સમીક્ષા કરીને લોકોને આવનાર દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચના આપી (meeting with Officials to Consider water crisis) હતી. તેમણે તળાવો મારફત પમ્પીંગ દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહયું (Kunwarji Bavlia meeting with Officials) છે, ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવતો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને સાતત્યપૂર્ણ રીતે છેવાડાના ગામો સુધી પહોંચે અને લોકોને ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકિદ કરી (meeting with Officials to Consider water crisis) હતી.

આ પણ વાંચો વડોદરામાં ફાયરના જવાનો બન્યા દેવદૂત, 2 કલાકની મહેનતે બાળકને ખાડામાંથી કાઢ્યું બહાર

અધિકારીઓ સાથે બેઠક: ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં આવેલ પરીએજ તળાવ 350 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી સૌરાષ્ટ્રના 41 નગરો અને 2131 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ આણંદ જિલ્લામાં આવેલ કનેવાલ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી તારાપુર તાલુકાના 1436 હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ઉપરાંત વલ્લી ગામ પાસે આવેલ મિલરામપુરા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત અને તારાપુર તાલુકાના 51 ગામો, ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત શહેર અને આજુબાજુના ગામો તથા સૌરાષ્ટ્ર પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહયુ છે. મંત્રી કુંવરજી બાવળિયા સાથે, વિધાનસભા ગૃહ ના નાયબ દંડક રમણભાઇ સોલંકી, પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહયાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.