'ઘરે મોડો આવીશ' કહીને જનારો પોલીસકર્મી ઘરે પરત જ ન ફર્યો, અજાણ્યા શખ્સો હત્યા કરી રફૂચક્કર

author img

By

Published : Dec 21, 2022, 3:00 PM IST

'ઘરે મોડો આવીશ' કહીને જનારો પોલીસકર્મી ઘરે પરત જ ન ફર્યો, અજાણ્યા શખ્સો હત્યા કરી રફૂચક્કર

આણંદ જિલ્લામાં પોલીસ ખાતાના MT વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા (police man killed in anand) યુવકની હત્યાની ઘટના (khambholaj police station) સામે આવી છે. અહીં રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સો યુવકની હત્યા કરી તેના મૃતદેહને નહેરમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. આ અંગે ખંભોળજ પોલીસે (khambholaj police station) વધુ તપાસ શરૂ કરી છે.

આણંદ જિલ્લામાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે અહીં તો પોલીસના જવાનો પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જિલ્લાના પોલીસ ખાતાના MT વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બેવડાના યુવકની હત્યા (khambholaj police station)થઈ છે. કેટલાક અજાણ્યા શખ્સો કોઈક કારણોસર યુવકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયો હતા. ત્યારબાદ આરોપીઓએ મૃતકના મૃતદેહને નજીકને નહેરમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર મામલાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જ્યારે ખંભોળજ પોલીસે (khambholaj police station) આ અંગે હત્યા અને પુરાવાના નાશનો ગુનો દાખલ (police man killed in anand) કર્યો છે.

PIની ગાડી ચલાવતો હતો આ અંગે મળતી માહિતી અનુસાર, બેડવા ગામમાં (Bedwa village person killed) રહેતો 19 વર્ષીય જયદીપ ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી ડ્રાયવર તરીકે નોકરીમાં જોડાયો હતો. તે મહિલા પોલીસ મથકના PI જીગર પટેલની બોલેરો જીપ ચલાવતો હતો. ગઈકાલે સવારે તે ટિફિન લઈને નોકરીએ આવ્યો હતો. તેણે ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ માતા સોનલબેનને ફોન કરીને જણાવ્યું હતુ કે, હું મિત્રો સાથે જમીને મોડો આવીશ. ત્યારબાદ મોડીરાત સુધી તે ઘરે આવ્યો નહોતો.

મૃતકનો મોબાઈલ ગુમ એટલે મૃતકની માતાએ તપાસ કરી તેમ છતાં તેનો કોઈ અતોપતો લાગ્યો નહતો. ત્યારે સવારે બેડવા ગામની (Bedwa village person killed) સીમથી રાસનોલ તરફ જવાના રોડ ઉપર આવેલી કેનાલમાંથી આ મૃતકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે (khambholaj police station) પહોંચી હતી. મૃતક જયદિપભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા (Anand Murder Case) કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતકના માતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી (Gujarat Crime Rate) હતી. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, પોલીસને મૃતકનો એક થેલો પણ મળી આવ્યો હતો, જેમાંથી ટિફિન મળી આવ્યું હતું. જ્યારે મૃતકનો મોબાઈલ ગુમ થઈ ગયો હતો.

હત્યામાં 2થી વધુ શખ્સો સામેલ હોવાની શક્યતા આણંદ પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી નોકરી કરતા મૃતક જયદિપની હત્યામાં (Anand Murder Case) 2 કે તેથી વધુ શખ્સોની સંડોવણી હોવાની શક્યતા છે. PSI કે. જી. ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ કારણોસર મૃતકને નહેર ઉપર લાવીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના 3 જેટલા ઊંડા ઘા મારવામા આવ્યા હતા. જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતુ. હત્યામાં (police man killed in anand) ધારદાર ચપ્પુ કે છરી જેવા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં (Gujarat Crime Rate) લાગી રહ્યું છે.

જયદિપ રાત્રે કયા મિત્રો સાથે હતો તેની તપાસ શરૂ મૃતકે રાત્રે મોડો આવશે તે અંગે માતાને જાણ કરી હતી. ત્યારબાદ 10 વાગ્યા પછીથી તેનો ફોન સ્વીચ ઑફ હતો. એટલે આ ઘટના 10 વાગ્યા પછી બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે તેના 7થી 8 જેટલા મિત્રોને બોલાવીને પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ રાત્રે જયદિપની સાથે નહીં હોવાનું જણાવ્યું છે. જેથી મૃતક ખરેખર કયા મિત્રો સાથે રાત્રે હતો તેની તપાસ હાથ ધરાઈ (Gujarat Crime Rate) રહી છે.

મોબાઈલ-રોકડ ના મળી હોવાથી લૂંટ વીથ મર્ડરની પણ શક્યતા ખંભોળજ પોલીસના (khambholaj police station) જણાવ્યા મતે, આ હત્યાનો (Anand Murder Case) ભોગ બનેલા જયદિપનો મોબાઈલ ફોન તેમ જ તેની પાસેથી એક પણ રોકડ રકમ મળી નથી, જેથી લૂંટ વિથ મર્ડરની પણ શક્યતા નકારી શકાતી નથી. પોલીસે તેના મોબાઈલ ફોન નંબરના આધારે તેની કોલ ડિટેલ્સ કઢાવવાની તજવીજ હાથ ઘરી છે. જેમાં જયદિપ છેલ્લે કોની સાથે સંપર્કમાં હતો, તે હકિકત ઉજાગર થશે તેમ (Gujarat Crime Rate) મનાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.