ગણેશ ચોકડી પર બનશે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ, મળી સૈદ્ધાંતિક મંજૂરી

author img

By

Published : Dec 15, 2022, 7:30 PM IST

ગણેશ ચોકડી પર બનશે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ, મળી સૈદ્ધાંતિક મંજૂરી

આણંદની ગણેશ ચોકડી પર (Ganesh Chokdi Anand) બનશે હવે 143 કરોડના ખર્ચે ઓવરબ્રિજ. ઓવર બ્રિજ બનાવવાનું સૈદ્ધાંતિક(principle approval for construction over bridge) મંજૂરીની મહોર લાગી. આગામી સમયમાં ગણેશ ચોકડી રેલ ફાટકે(Ganesh Chowkdi rail burst) ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.કન્સલટન્ટ દ્વારા (Construction of overbridge started) બ્રિજની લંબાઇ, બંને તરફેના રસ્તા સહિતની બાબતે ફાઇનલ લાઇન આપશે.ત્યારબાદ કામગીરીનો આરંભ કરાશે.

આણંદ શહેરમાંથી મુખ્ય ગણાતી બે ચોકડીઓ જેમાં ગણેશ ચોકડી (Construction of overbridge started) અને બોરસદ ચોકડી ચાર રસ્તા પર દિવસે ને દિવસે વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને પૂર્ણ કરવા બોરસદ ચોકડી (Railway Line Borsad Chowk) બાદ હવે ગણેશ ચાર રસ્તા પર પણ ઓવર બ્રિજ બનાવવાનું સૈદ્ધાંતિક મંજૂરીની (principle approval for construction over bridge) મહોર લાગી ગઈ છે.

જોડતી રેલવે લાઇન ખંભાતને આણંદ સાથે જોડતી રેલવે લાઇન પર બોરસદ ચોકડીએ ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે છે. જયારે આગામી સમયમાં ગણેશ ચોકડી રેલ ફાટકે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સંસદ સભ્ય મિતેશ પટેલ દ્વારા કરવામાં આવેલ રજૂઆત ને પગલે અંદાજે 143 કરોડના ખર્ચ અહીં ટુ લેયર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ અંગે ગુજરાત શહેરી વિકાસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સૈદ્વાંતિક મંજૂરી આપવામાં આવી છે.

કામગીરીનો આરંભ માર્ગ-મકાન વિભાગના સૂત્રોનુસાર વાસ્તવમાં આ બ્રિજ ખૂબ કોમ્૫લીકેટેડ છે. જેના પ્રાથમિક અંદાજમાં જૂની પ્રાંત કચેરીથી કલેકટર કચેરી તરફ અને બ્રિજનો બીજો છેડો ડો.ગોહિલના દવાખાના તરફ રહેશે. જો કે આ અંગે નિયુકત કન્સલ્ટન્ટ સાથે હાલ કોરસપોન્ડીંગ ચાલી રહ્યું છે. જેથી અંદાજે એક માસમાં કન્સલટન્ટ દ્વારા બ્રિજની લંબાઇ, બંને તરફેના રસ્તા સહિતની બાબતે ફાઇનલ લાઇન આપશે.ત્યારબાદ કામગીરીનો આરંભ કરાશે.

થોડા દિવસોમાં લોકાર્પણ વધુમાં જણાવ્યું હતું કે, બોરસદ ચોકડી બ્રિજનું(Borsad Chowkdi Bridge) થોડા દિવસોમાં લોકાર્પણ કરાશે. ત્યારબાદ ગણેશ બ્રિજની કામગીરી આરંભાશે. શહેરની ભારે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે આ બ્રિજનું આયોજન ભવિષ્યમાં ઉપયોગી બની રહેશે. જો કે સૈદ્વાંતિક મંજૂરી મળવાથી હવે આ બ્રિજની કામગીરી કન્સલ્ટન્ટ દ્વારા એપ્રુવલ નકશા બાદ ઝડપી શરુ કરાશે.

ઝપાટાભેર કામ શરૂ બોરસદ ચોકડી બ્રિજનું (Borsad Chowkdi Bridge )ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં લોકાર્પણની વકી લોટેશ્વર મહાદેવ મંદિર આગળ સર્વિસ રોડનું ઝપાટાભેર કામ શરૂ કરવામાં આવ્યું છે. આણંદની બોરસદ ચોકડી રેલ ફાટક પરના ઓવરબ્રિજની 95 ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઇ છે. આજે લોટેશ્વર મહાદેવ મંદિર આગળથી પસાર થતા સર્વિસ રોડને માટી પુરાણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ત્રણેક દિવસમાં પૂર્ણ થયા બાદ ડામર રોડ તૈયાર કરાશે.

ડિવાઇડરમાં માટી પુરાણ આ ઉપરાંત પુલની વચ્ચેના ડિવાઇડરમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, ઓવરબ્રિજની બાજુમાંથી પસાર કરાયેલ પાણીની પાઇપલાઇનના મુખ્ય વાલ્વને ગોઠવવા લોટેશ્વર ભાગોળ તરફેના પુલના છે. ડે ચેમ્બર બનાવવામાં આવી રહી છે. લગભગ અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના સાથે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સંભવિત મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.