World no Tobacco Day : અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લોકોને વ્યસનમાંથી છુટકારો કરવાનો પ્રયાસ

author img

By

Published : Jun 1, 2022, 2:06 PM IST

World no Tobacco Day : અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લોકોને વ્યસનમાંથી છુટકારો કરવાનો પ્રયાસ

અમરેલીમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પર્યાવરણથી લઈને લોકોની તંદુરસ્તી માટે રેલીનું (De Addiction Rally in Amreli) આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ટોબેકો દિવસ (World no Tobacco Day) પર કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા સહિત અનેક લોકોએ વ્યસન મુક્તિ રેલીમાં જોડાયા હતા. આ રેલીની શું હતો લોકો (BAPS Shatabdi Mahotsav) માટે સંદેશો જૂઓ..

અમરેલી : અમરેલીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ (BAPS Shatabdi Mahotsav) મહોત્સવ 1 જૂન (આજે) ના રોજ યોજાશે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વ્યસન મુક્તિના સંદેશા સાથે અમરેલીના રાજમાર્ગો પર વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશ્વ ટોબેકો દિવસ (World no Tobacco Day) નિમિત્તે અમરેલીના મુખ્ય માર્ગો પર વ્યસન મુક્તિ અંગે વિશાળ રેલીનું BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રેલીનું (De Addiction Rally in Amreli) આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, નારણ કાછડિયા અને કૌશિક વેકરીયા રેલીમાં હાજર રહી શ્રીફળ વધેરીની શરૂઆત કરી હતી. સાથે BAPSની ધજા ફરકાવીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી.

અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વ્યસન મુક્તિ રેલી

આ પણ વાંચો : ડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યાં, જૂઓ ભાજપના નેતાઓ પર કેવી કેવી નોટો વરસી

વ્યસન મુક્તિનો સંદેશો - પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સંસ્થાના બાળકો દ્વારા દસ દિવસથી ગામડે ગામડે વ્યસન મુક્તિનો સંદેશો (Addiction Freedom Message) આપી જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. અમરેલીના માર્ગો પર વ્યસન મુક્તિના સંદેશા સાથે આ રેલીમાં મોટી સંખ્યામાં BAPSના સંસ્થાના સંતો બાળકો બાલિકા અને યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંદેશ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે તે માટે ચિતલ રોડ BAPS સ્વામિનારાયણ મંદિરેથી નાગનાથ મંદિર રાજકમલ ચોક મોટા બસ સ્ટેન્ડ એમ શહેરના મુખ્ય માર્ગો પર રેલી નિકાળવામાં આવી હતી. તો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા.

આ પણ વાંચો : સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં ઉજવણીમાં PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

વ્યસન મુક્તિ અભિયાન - ટોબેકો દિવસે વ્યસનોથી મુક્ત થાય અને પર્યાવરણની પણ લોકો જાળવણી વૃક્ષો વાવે વીજળીની બચત કરે, પાણીનો બચાવ કરે અને લોકો વધારેમાં વધારે રેલીમાં જોડાય તેવા સંદેશા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને આવનાર પેઢીને વ્યસનોથી દૂર રહે તે માટે BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન (Addiction Free Campaign) માટે પણ કામ કરવામાં આવે છે. નવયુવાનોમાં અને આવનાર પેઢીને એક સારું ભવિષ્ય મળી રહે તે માટેના પણ BAPS સંસ્થા સંસ્કાર સીંચી રહી છે. અમરેલી સ્વામિનારાયણ BAPS (Amreli BAPS Swaminarayan) સંપ્રદાયના સંત નિત્ય સ્વામીએ જણાવ્યું કે, અમરેલીમાં વ્યસન મુક્તિ પર્યાવરણની જાળવણી પાણી બચાવોના સ્લોગન સાથે રેલીનું આયોજન કર્યું હતું. જેમાં લોકો વ્યસન મુક્ત જીવન જીવે તે માટેના સંદેશા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.