સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકનું મોત 6 ઇજાગ્રસ્ત

author img

By

Published : Sep 4, 2021, 11:55 AM IST

સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકનું મોત 6 ઇજાગ્રસ્ત

સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો આઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે 5 વર્ષના એક બાળકનું મોત થયું હતુ.

  • રેલવે ફાટકની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 1 બાળકનું મોત
  • 6 લોકો ઈજાગ્રસ્ત થયા

અમરેલી: જિલ્લામાં આજે શુક્રવારે બપોર બાદ એક ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્તામ સર્જાયો હતો. સાવરકુંડલાથી ગારીયાધાર પાલીતાણા જતી ખાનગી બસ ભુવા રોડ પર રેલવે ફાટક બંધ હતું. તે દરમિયાન પુરપાટ સ્પીડમાં જતી ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર 15થી વધુ પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. અકસ્માતમાં પ્રવાસીઓ ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા.

સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકનું મોત 6 ઇજાગ્રસ્ત
સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકનું મોત 6 ઇજાગ્રસ્ત

પાંચ વર્ષના બાળકનું મોત

આ ઘટનામા પાંચ વર્ષના એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. તેમજ 6 થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેઓને 108 દ્વારા સાવરકુંડલા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઈજાગ્રસ્તો અને અન્ય પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા

ખાનગી બસના પતરા તોડી પ્રવાસીઓને બહાર કઢવામાં આવ્યા હતા. 108 એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં 108ના કર્મચારીઓએ બસના પતરા તોડી ઈજાગ્રસ્તો અને અન્ય પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.