મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને ઓરેવા કંપનીના માલિક સામે FIR દાખલ કરવા HCમાં PIL

author img

By

Published : Nov 2, 2022, 10:12 AM IST

મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને ઓરેવા કંપનીના માલિક સામે FIR દાખલ કરવા HCમાં PIL

મોરબીમાં ઝૂલતા પૂલના કારણે (Morbi Bridge Collapse) બનેલી દુર્ઘટના અંગે એડવોકેટ ભૌમિક શાહે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ (PIL in Gujarat High Court) કરી છે. એડવોકેટે મોરબી નગરપાલિકાના અધિકારીઓ (Morbi Nagarpalika) અને ઓરેવા કંપનીના માલિક (Oreva Company Owner) સામે ફરિયાદ દાખલ કરવાની માગ અરજીમાં કરી છે.

અમદાવાદ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાના (Morbi Bridge Collapse) કારણે 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે મોરબી નગરપાલિકાના (Morbi Nagarpalika) અધિકારીઓ અને ઓરેવા કંપનીના માલિક સામે ફરિયાદ દાખલ કરવા માટે એડવોકેટ ભૌમિક શાહે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ (PIL in Gujarat High Court) કરી છે.

ટૂરિઝમ ઉપર પણ પ્રશ્ન ઊઠી શકે છે

જવાબદાર સામે ગુનો દાખલ કરાયો નથી ત્રણ દિવસ પહેલાં જ મોરબીમાં જે દુર્ઘટના બની (Morbi Bridge Collapse) તેને તે ઘટનાની ઊંડી છાપ હજી પણ લોકોના માનસપટ પર રહેલી છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, આ પૂલના મેઈન્ટેનન્સની કામગીરીની જવાબદારી જેના માથે હતી. તેવા ઓરેવા કંપનીના માલિક જસુભાઈ પટેલ (Oreva Company Owner) કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, જેથી આ મામલે વડોદરાના વકીલ ભૌમિક શાહે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરી મોરબી દૂર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક (Oreva Company Owner) , નગરપાલિકાના (Morbi Nagarpalika) ચીફ ઓફિસર, પ્રમુખ મુખ્ય કોન્ટ્રાક્ટર્સ, તમામ જવાબદારો સામે FIR દાખલ કરવાની અરજી કરી છે.

ટૂરિઝમ ઉપર પણ પ્રશ્ન ઊઠી શકે છે આ સમગ્ર મામલે એડવોકેટ ભૌમિક શાહે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના મોરબીમાં ઝૂલતા પૂલના (Morbi Bridge Collapse) કોન્ટ્રાક્ટરે જે ભૂલો કરી છે અને તેનું જે પરિણામ આવ્યું છે, જે લોકોએ ભોગવ્યું છે. જ્યારે આપણે ટૂરિઝમ પોઇન્ટ ડેવલપ કરી રહ્યા હોય ટૂરિઝમને આપણે પ્રોત્સાહન આપવાની વાત કરતા હોય ત્યારે આજે નહીં તો કાલે ટૂરિઝમ ઉપર પણ પ્રશ્ન ઉઠી શકે છે. ઝૂલતા પુલ તૂટ્યા બાદ FSI અને SITનું ગઠબંધન કરવામાં આવ્યું છે. આ પૂલનું ઉદ્ઘાટન થયું તે પહેલા જ જો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોત કાયદા અને કાનૂનનું કામ થયું હતું. તો તમામ જવાબદારી વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હોત.

જવાબદારો સામે કાર્યવાહીની માગ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેતે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી (Morbi Bridge Collapse) કરવામાં નથી આવી. એ માટે અમે ગુજરાત હાઈકોર્ટને બંધારણીય અધિકારથી સુઓમોટો લેવા માટે વિનંતી કરી છે. આ સાથે જ રજિસ્ટ્રારને પણ વિનંતી કરવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે આ PIL દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ પણ એક જાહેરહિતની અરજી કરીને આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના કોઈ રિટાયર્ડ જજના નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરાવવાની પણ માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.