IIM Ahmedabad convocation 2022: IIMના 57માં પદવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો, IIMએ લોગો બદલાવાની કોન્ટ્રોવર્સી નિર્ણયને મોકૂફ રાખ્યો

author img

By

Published : Apr 14, 2022, 12:13 PM IST

IIM Ahmedabad convocation 2022: IIMના 57માં પદવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો, IIMએ લોગો બદલાવાની કોન્ટ્રોવર્સી નિર્ણયને મોકૂફ રાખ્યો

અમદાવાદ IIMમાં 57માં પદવીદાન સમારોહમાં (IIM Ahmedabad convocation 2022)યોજાયો હતો. જેમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરપર્સન કુમાર મંગલમ બિરલાએ કાર્યક્રમની લીડરશીપ લીધી હતી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે નાયકાના સ્થાપક અને CEO ફાલ્ગુની નાયરા ઉપસ્થિત રહ્યા હતા. IIMના લોગો બદલાવાની વાતને લઇને થોડા દિવસો પહેલા કોન્ટ્રોવર્સી થઇ હતી જેને ધ્યાને રાખી આ નિર્ણયને હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે.

અમદાવાદઃ IIMના 57માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને (IIM Ahmedabad convocation 2022)સંબધોન કરતા તેમને આ વાત કરી હતી. કોરોના બાદ યોજાયેલા IIM અમદાવાદના 57માં પદવીદાન સમારોહમાં IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ લીડરશીપને મંત્ર આપતા કહ્યુ હતુ કે લીડરશીપ ઇમોશનલ, ઇન્ટેલેક્ચુઅલ અને ફિઝિકલ એનર્જીને બેલેન્સ કરવાથી (IIM Ahmedabad)આવે છે. જો સસ્ટેનેબલ ગ્રોથ જોઇતો હશે તો પ્રોબ્લેમ પર વર્કિંગ કરવુ પડશે. આ સાથે જ સ્ટુડન્ટ્સને સલાહ(iim ahmedabad courses)આપી હતી કે હંમેશા એવા એવા વ્યક્તિ સાથે કામ કરો જોડાયેલા રહો જે તમારા માંથી મેડનેસ નહિ મેજીક લાવી શકે છે.

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં અમદાવાદ IIMના 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી

સપનાને પુરા કરવા માટે કાર્યરત રહો - નાયકાના સ્થાપક અને CEO ફાલ્ગુની નાયરે જણાવ્યું કે કોઇપણ વસ્તુ શરૂ કરવાનો કોઇ ચોક્કસ સમય નથી હોતો બિલકુલ તેવી જ રીતે સપના જોવાની પણ કોઇ ઉંમર નથી હોતી. સપના જોતા ગભરાશો નહિ, સપના જુઓ અને તેને પુરા કરવા માટે મથ્યા રહો, કોઇ શું કહેશે તેના વિચારો માત્ર પોતાના સપનાને પુરા કરવા માટે કાર્યરત રહો, સપના માત્ર જોવાથી તે પુરા નહિ થાય તેના માટે કમિટેડ રહો, સપનાથી સફળતા સુધીની આ જર્નિ આસાન નથી તેમાં થયેલી ભુલોથી શીખો,નિષ્ફળતાથી ના અટકો પોતાના પર વિશ્વાસ રાખે અને સતત ચાલતા રહેવું જોઈએ છે.

પોતાની સ્કિલને અપડેટ કરો - ફાલ્ગુની નાયરે વધુમાં જણાવ્યું કે મહિલાઓને નાનપણથી તેમને શું કરવુ તે અંગે શીખવવામાં આવે છે. તે બંધ થવુ જોઇએ આજના સમયમાં મહિલાઓએ શું કરવુ છે તજે તેઓએ જાતે જ નક્કી કરવુ જોઇએ. સતત પોતાની સ્કિલને અપડેટ કરો, મોટા પેકેજ સાથે એટેચમેન્ટના રાખો, શોર્ટકર્ટ ના અપનાવો અને સફળતા માટે મહેનત કરો. બસ કામ કરતા રહો ફળની ચિંતા ના કરો. જે પ્રકારના સિદ્ધાંતો જણાવ્યા હતા.

આ પણ વાંચોઃ IIM Ahmedabad Logo Controversy: IIM અમદાવાદનો લોગો બદલવાને લઇને વિવાદ, 48 અધ્યાપકોએ વાંધો ઉઠાવ્યો

વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી - PGના 387 વિદ્યાર્થીઓ, PG ફૂડ-એગ્રીના 47, એક વર્ષ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ 136, P.HD 14 સહિત 584 લોકોને ડિગ્રી આપવામાં આવી હતી. IIM અમદાવાદના લોગો બદલાવાની વાતને લઇને થોડા દિવસો પહેલા જ કોન્ટ્રોવર્સી થઇ હતી જેના સવાલના જવાબ આપતા IIMના ચેરપર્સનએ જણાવ્યુ હતુ કે લોગો લોકોના ઇમોશન્સ સાથે સંક્ળાયેલો છે. લોકોની લાગણીને ધ્યાનમાં લઇને જૂનમાં લોગો બદલાવો નિર્ણય હાલ પુરતો મોકુફ રખાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.