નિરામય ગુજરાત અભિયાનઃ અમદાવાદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

author img

By

Published : Nov 20, 2021, 8:21 PM IST

નિરામય ગુજરાત અભિયાનઃ અમદાવાદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની (Policemen check the health of the family )ચકાસણી કરવા માટે આયોજન હાથ ધરાયું છે. સરકારના નિરામય ગુજરાત અભિયાનની(Niramay Gujarat Abhiyan) શરૂઆત પોલીસ અને પોલીસ પરિવારથી કરવામાં આવી છે. રાજ્યની પડખે ઊભા રહેવાનું કામ સતત પોલીસ કરતી હોવાથી આ કાર્યક્રમની શરૂઆત પોલીસકર્મીથી કરવામાં આવી હતી. જેમાં અનેક પોલીસકર્મીઓનો પોલીસ વેલ્ફેર હોસ્પિટલ(Police Welfare Hospital ) ખાતે હેલ્થ ચેકઅપ શરૂ કર્યું.

  • રાજ્ય નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત
  • પોલીસકર્મીઓ પરિવારજનો આરોગ્યની ચકાસણી
  • ગૃહપ્રધાન અને આરોગ્યપ્રધાને કરાવી શરૂઆત

અમદાવાદઃ શહેરના શાહીબાગ (Shahibaug)ખાતે આવેલ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ (Police Welfare Hospital at Shahibaug)છે. જ્યાં નિરામય ગુજરાત અભિયાનની(Niramay Gujarat Abhiyan) શરૂઆત કરાઈ હતી. જેમાં અનેક પોલીસ કર્મીઓના હેલ્થ ચેકઅપ (Health checkup of police personnel)કરવામાં આવ્યા છે. આ અભિયાનની શરૂઆત ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)અને આરોગ્યપ્રધા ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)કરાવી હતી. જ્યારે તેઓને ધ્યાને આવ્યું કે પોલીસ સતત પ્રજા અને રોડ પર કામ કરતી હોય છે. જેમાં તેમના કમર અને ઘૂંટણના દુખાવાની બીમારી વધી રહી છે. આ સાથે જ બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ પોલીસકર્મીઓમાં વધારે જોવા મળી છે. ત્યારે આગામી સમયમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે રોગોના સ્ક્રિનિગથી લઈને સારવાર અપાય તેવી બાહેધરી આરોગ્યપ્રધાને આપી હતી.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકરીઓ હાજર રહ્યા

આ હેલ્થ ચેકપ(Health checkup)માં આરોગ્યપ્રધા ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જણાવ્યું કે શુક્રવાર અને શનિવારે પોલીસ પરિવાર સાથે ચેકઅપ કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં પોલીસ અને ફિઝિયોથેરાપી (Physiotherapy)વ્યવસ્થા કરવા ગૃહપ્રધા હર્ષ સંઘવી(Home Minister Harsh Sanghvi)એ આશ્વાસન આપ્યું છે. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર(Commissioner of Police) સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકરીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના ચેકઅપ કરવામાં આવ્યા

ત્યારે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના ચેકઅપ (Policemen check the health of the family )કરવામાં આવ્યા હતા. ત્યારે ખાસ કરીને પોલીસ કર્મીઓ માટે જુદી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પોલીસકર્મીઓ અડીખમ રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસકર્મીઓ સાથે શપથ પણ લેવડાવ્યા હતા.

આ પણ વાંચોઃ ...અને આખરે કોરોનાની જંગ સામે 4 મહિનાના જુગલે મેળવી જીત

આ પણ વાંચોઃ ભુજના જતીન ચૌધરીએ 22,500 ફિટ ઊંચા અમા ડબ્લમ શિખર સર કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.