ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

author img

By

Published : Oct 10, 2021, 11:52 AM IST

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હાર્દિક પટેલે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં જોશથી અને પુરી તૈયારી સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે. આ તકે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ETV BHARATના ઇનટરવ્યું કહ્યું હતું કે, હાઈકમાન્ડ જેમ કહેશે તેમ એક કાર્યકરના રૂપે રહીને કામ કરીશું તેમજ બુથ લેવલનું મેનેજેમેન્ટ અને ગ્રામીણ વિસ્તારમાં રહીને પ્રચારપ્રસારની કામગીરી શરૂ કરીશું.

  • 125 બેઠકોના લક્ષ્ય સાથે કોંગ્રેસ મેદાને ઉતરશે
  • તમામ વર્ગના લોકો માટે કામ કરીશું - હાર્દિક પટેલ
  • ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતા ચૂંટણી લડશે

અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે હજી નેતાગીરી અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ ફોડ પાડ્યો નથી. ગાંધીનગર મ.ન.પા હાર્યા પછી પણ કોંગ્રેસમાં જીતવાનો જ જોશ દેખાઈ રહ્યો છે. જો કે કોંગ્રેસ નવી સ્ટ્રેટેજી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જીતીશું અને 125 બેઠકો જીતીશે, એવો વિશ્વાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ETV BHARAT સાથેના ઇનટરવ્યુંમાં જણાવ્યું હતું.

125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

પ્રશ્ન - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર મેળવી તે પછી કોંગ્રેસે શું ચિંતન ક્યું છે?

જવાબ : અમે પહેલા જ કહ્યું હતું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, તેમના વોટ કોંગ્રેસને ના મળે તે માટે ત્રીજી પાર્ટીને ફંડિગથી લઈને પુરી સુવિધા સહિતના તમામ કામ ભાજપ કરી રહ્યું છે. પરિણામ એવું આવ્યું કે તેને કારણે જ મતનું વિભાજન થયું અને ભાજપ જીત્યું. હું પહેલેથી કહેતો આવ્યો છું કે ભાજપને ટક્કર આપવાની ક્ષમતા હોય તો તે કોંગ્રેસ પાર્ટીમાં જ છે. કોંગ્રેસ જનતાના વિવિધ મુદ્દાને લઈને આંદોલન કરે, લોકોને ન્યાય અપાવવાનું કામ કરે, જનતાના મુદ્દા એક મોટા આંદોલનના સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવાનું કામ કરે. ગાંધીનગરની ચૂંટણીનું જે પણ પરિણામ આવ્યું તેમાં આત્મમંથન પછી અમે સતત જનતાના હિતો માટે, જનતાની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું. અને મને વિશ્વાસ છે કે જનતાના આર્શીવાદથી પરિવર્તનની લહેર લાવીશું.

પ્રશ્ન - ETV BHARAT ભારતે પણ ગાંધીનગર મ.ન.પા.ના પરિણામનું એનાલીસીસ કર્યું હતું. તે મુજબ આમ આદમી પાર્ટી જો આ ચૂંટણી ન લડી હોત તો 44 બેઠકોમાંથી 23 બેઠક કોંગ્રેસને મળી હોત, એટલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ કાપવાનું કામ કર્યું છે, જે તમે કહી રહ્યા છો. પણ હવે 2022માં ફરીથી આવું ન થાય તે માટે 2022 વિધાનસભાની ચૂંટણીમાં તમે શું સ્ટ્રેટેજી બનાવશો?

જવાબ :ગાંધીનગરની ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે ત્રીજી પાર્ટીને વોટ આપીશું તો તેનાથી ભાજપજ જીતવાની છે. એટલા માટે આવનારા દિવસોમાં ગુજરાતની જનતાનો પ્રેમ કોંગ્રેસ તરફ જ રહેશે અને વધશે. ફકત પ્રેમ વધારવાથી કોંગ્રેસ નહી જીતે. અમારે ગ્રાઉન્ડ લેવલ પર, ગ્રામીણ લેવલ પર, બુથ લેવલ પર યોગ્ય રીતે કામ કરવું પડશે. અમે છેલ્લા 3-4 મહિનાથી કોવિડ ન્યાય યાત્રા, રોજગારીનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય આવા મુદ્દાને લઈને જનતા સુધી પહોંચડાવાનું કામ કરી રહ્યા છીએ. કોરોના મહામારીમાં કહેવાતું હતું કે 10 હજારનો લોકોના મૃત્યુ થયા. પણ અમે જનતા પાસે ગયાને જાણ્યું ત્યારે ખબર પડી કે 3 લાખ લોકોના મૃત્યું થયા છે. ન્યાય યાત્રા દ્વારા અમે 50 હજાર પરિવાર સુધી પહોંચ્યા છીએ. અને આગામી દિવસોમાં 2 લાખ પરિવાર સુઘી પહોંચીશું, અમે જનતા સાથે રહીશું તો ચોક્કસ તેમનો પ્રેમ અમને મળશે.

પ્રશ્ન - કોરોનાની વાત નીકળી છે, તો કોરોનાની બીજી લહેર વખતે રૂપાણી સરકારની કામગીરી સંતોષજનક ન હતી, તો ભાજપ હાઈકમાન્ડે સી.એમ સહિત આખું પ્રધાનમંડળ બદલી નાંખ્યું, આ મુદ્દા અંગે આપ શું કહેશો?

જવાબ :ભાજપે સી.એમ બદલ્યા છે, તે પછી ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે 2022માં સત્તા જ બદલી નાંખવી છે. જનતાનો મુડ સત્તાની વિરુદ્ધમાં છે. બસ હવે અમારે જનહિતના મુદ્દાને ઉઠાવવાના છે. જનતાની વાત સરકાર સુઘી પહોંચાડવી છે. એટલે મને લાગે છે જનતાનો નિર્ણય યોગ્ય છે કે સત્તા જ બદલી નાંખવી છે.

પ્રશ્ન - આપની પાસે સમય ખૂબ જ ઓછો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ નક્કી નથી કરતી? તો કેમ આમ? તો કેવી રીતે પરિવર્તન આવશે?

જવાબ :પાર્ટી હાઈકમાન્ડનું કામ છે પક્ષ પ્રમુખ નક્કી કરવા, વિપક્ષના નેતાનું નામ નક્કી કરવું. અમારુ કામ છે સંગઠનને જોડવાનું, તે અમે બધા કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં ગુજરાતના લોકોને કોંગ્રસનું ખૂબ સારુ અને મજબૂત સંગઠન મળશે. જે ગાંધી અને સરદારના મુલ્યોને સાચવશે.

પ્રશ્ન - ETV BHARAT એ વીતેલા સપ્તાહે જિગ્નેશ મેવાણીનો ઈન્ટરવ્યૂ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું 2017ની ચૂંટણીમાં જિગ્નેશ, હાર્દિક અને અલ્પેશની ત્રિપુટીએ તરખાટ મચાવ્યો હતો, અને 77 બેઠક જીતી લાવ્યા હતા. જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં આવી ગયા છે, અને હવે શું અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવશે? અને બીજુ કોંગ્રેસની હવે શું સ્ટ્રેટેજી રહેશે?

જવાબ :2022ની ચૂંટણી ગુજરાતની જનતા ભાજપની વિરુદ્ધમાં લડશે. જે પણ યુવાનો, બેરોજગારો, ખેડૂતો, મહિલાઓ, પછાત વર્ગ ભાજપની વિરુદ્ધમાં લડવા માંગે છે, તેમનું અમે સ્વાગત કરીએ છીએ.

પ્રશ્ન - ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાનો લંક્ષ્યાક મુક્યો છે?

જવાબ :બે તૃતીયાંશ બહુમતી સાથે અમે સત્તામાં આવીશું, અમારો ટાર્ગેટ 125 બેઠકો જીતવાનો છે.

આ પણ વાંચો : ETV bharat special: 'માત્ર જોબ કરવી એ હેતુ ન હોવો જોઈએ, ઘરમાં રહી તમારી શક્તિને પિછાણો' : પ્રીતિબેન કોટેચા

આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષ પાટીલ આજે પોરબંદર ખાતે કીર્તિમંદીરની મુલાકાત કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.