કાર્યકરતાઓ અને લેખકોએ સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કર્યો

author img

By

Published : Aug 5, 2021, 12:44 PM IST

ગાંધી આશ્રમ

અમદાવાદમાં કાર્યકરો, લેખકો અને ગાંધીવાદીઓના જૂથે અહીં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમનો 'વિકાસ' કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ કર્યો છે. તેઓ દાવો કરે છે કે, તેનાથી આશ્રમની પવિત્રતાને નુકસાન થશે.

  • ગાંધી આશ્રમનો 'વિકાસ' કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ
  • આ યોજનાથી આશ્રમની પવિત્રતાને નુકસાન થશે
  • ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે

અમદાવાદ : કાર્યકરો, લેખકો અને ગાંધીવાદીઓના જૂથે અહીં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમનો 'વિકાસ' કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ કર્યો છે. તેઓ દાવો કરે છે કે, તેનાથી આશ્રમની પવિત્રતાને નુકસાન થશે.

ગાંધીવાદી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયાસ

ગુજરાતી લેખક પ્રકાશ શાહ, ઇતિહાસકાર રાજમોહન ગાંધી અને રામચંદ્ર ગુહા, સંગીતકાર ટી.એમ.કૃષ્ણા, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એ.પી. શાહ, કાર્યકર્તા હર્ષ મંડેર, શબનમ હાશ્મી, યોગેન્દ્ર યાદવ અને તિસ્તા સેતલવાડ સહિત 130 મહાનુભાવો દ્વારા સહી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ "ગાંધીવાદી સંસ્થાઓ પર કબ્જો" કરવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત પર આશંકા

ગાંધીએ 1917થી 1930 વચ્ચે સાબરમતી આશ્રમ રહીને સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું

સાબરમતી આશ્રમના નામે વિશ્વભરમાં પ્રખ્યાત આ ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે અને મહાત્મા ગાંધીએ 1917થી 1930 વચ્ચે અહીં રહીને સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આશ્રમનું સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ કરે છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.