વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા T20I માં ભારતનો કેપ્ટન બનશે: વિનોદ કાંબલી

author img

By

Published : Sep 17, 2021, 8:47 AM IST

વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા T20I માં ભારતનો કેપ્ટન બનશે: વિનોદ કાંબલી

કોહલીએ જાહેરાત કરી કે તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં રમાનાર T-20 વર્લ્ડકપ પછી રાષ્ટ્રીય ટીમના ટી 20 કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

  • વિરાટ કોહલીએ છોડી કેપ્ટનશીપ
  • આગામી T-20 વર્લ્ડ કપ માટે વિરાટ કેપ્ટન નહીં હોય
  • હવે વિરાટ મુક્ત રીતે રમી શકશે: કાંબલી

મુંબઈ: ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને લાગે છે કે 2021 ના વર્લ્ડ કપ બાદ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા T20I માં ભારતનો સુકાની બનશે. કાંબલીએ કહ્યું, "હવે વિરાટ કેપ્ટનશીપ છોડી રહ્યો છે, મને લાગે છે કે રોહિતને તક મળી શકે છે. વિરાટ હવે તેની સંપૂર્ણ ક્ષમતાથી રમશે કારણ કે તેના પર કોઈ દબાણ નહીં હોય. હું ઈચ્છું છું કે વિરાટ મુક્ત રીતે રમે."

"મને લાગે છે કે રોહિત વર્લ્ડકપ પછી T20I માં ભારતનો કેપ્ટન બનશે કારણ કે તેણે મુંબઈ ઇન્ડિયન્સને ઘણી વખત જીત અપાવી છે." કોહલીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં રમાનાર ટી 20 વર્લ્ડ કપ પછી રાષ્ટ્રીય ટીમના ટી 20 કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો

2021 માં આગામી આઈસીસી ઇવેન્ટ પછી ટી 20 ફોર્મેટ માટે પસંદગી માટે તે ઉપલબ્ધ રહેશે, જે બીસીસીઆઈ દ્વારા યુએઈ અને ઓમાનમાં યોજવામાં આવે છે. કાંબલીએ કહ્યું, "હવે દરેક જણ જોશે, T20I માં વિરાટની પ્રતિભા. હું ભારત, પાકિસ્તાનનો વિશ્વકપમાં મુકાબલો, આ મેચોમાં સારું પ્રદર્શન કરવા માટેનું દબાણ અને ઉત્સુકતાની રાહ જોઈ રહ્યો છું. દિવસની શરૂઆતમાં, કોહલીએ કહ્યું કે તે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા સાથે ચર્ચા કર્યા બાદ પોતાના નિર્ણય પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : આજે છે પરિવર્તની એકાદશી, આજના દિવસે શ્રીહરિની પૂજા કરવાથી મળે છે સવિશેષ પુણ્ય

ભૂતપૂર્વ બેટ્સમેન કાંબલીએ કહ્યું કે કોહલી હવે મુક્તપણે રમશે. કાંબલીએ કહ્યું, "તે મારા માટે આઘાતજનક નિર્ણય હતો, પરંતુ હવે વિરાટ હળવાશ અનુભવશે. હવે આપણે વિરાટને બેટ્સમેન જોશું કારણ કે હવે તે કોઈ દબાણ હેઠળ રહેશે નહીં."કોહલીએ 45 ટી 20 માં ભારતની કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 27 મેચ જીતી છે. કોહલીના નેતૃત્વમાં ભારતે માત્ર 14 T20I હાર્યા હતા જ્યારે બે મેચ ટાઈ રહી હતી અને બે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.