ICC T-20 World Cup 2021ના ગ્રુપ્સનું એલાન, ભારત-પાકિસ્તાનની ટક્કર

author img

By

Published : Jul 16, 2021, 5:39 PM IST

ICC T-20 World Cup 2021

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલા 2021 ટી20 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરી દીધી છે. ICCએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે. આવામાં બે વર્ષ બાદ એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે.

  • ICC T-20 World Cup 2021ના ગ્રુપ્સનું એલાન
  • ભારત સામે ટકરાશે પાકિસ્તાન
  • T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં

નવી દિલ્હી: ICCએ ભારત અને પાકિસ્તાન બન્નેને ગ્રુપ 2માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વૉલિફાયર ટીમો હશે. ઉલ્લેખનીય છે કે, 2021 ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે. આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વન-ડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી શક્યુ નથી.

ICC T-20 World Cup 2021
રાઉન્ડ 1

આ પણ વાંચો: Ind-Eng Test Series પહેલા ભારતને મોટો ઝટકો, 2 ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત

20 માર્ચ 2021 સુધીમાં ટીમ રેન્કિંગના આધારે પસંદ કરેલા જૂથોમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને સુપર 12 ના ગ્રુપ 1 માં ભૂતપૂર્વ ચેમ્પિયન ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઉન્ડ એકમાંથી બે ક્વોલિફાયર પણ સામેલ કરવામાં આવ્યા છે.

T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં

ગયા T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. જો કે તે સમયે ગ્રુપ બીમાં આ બે ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતુ. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યા જોતા આઇસીસીએ ફરી એકવાર બન્ને ટીમોને એક જ ગ્રુપમાં રાખી છે.

રાઉન્ડ વનની મેચનાં પરિણામો બાદ જ બીજી બે ટીમોનો નિર્ણય લેવાશે

જો કે રાઉન્ડ વનની મેચનાં પરિણામો બાદ જ બીજી બે ટીમોનો નિર્ણય લેવામાં આવશે. જેમાં રાઉન્ડ 1 ના ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર-અપ ટીમ ગ્રુપ 1 માં સામેલ થશે. ગ્રુપ 2માં ભૂતપૂર્વ ચેમ્પિયન ભારત સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાનની સાથે સાથે રાઉન્ડ 1ના અન્ય 2 ક્વોલિફાયર્સ ટીમોને સામેલ કરવામાં આવ્યા છે. ગ્રુપ 2માં રાઉન્ડ 1માંથી આવનારી ટીમમાં ગ્રુપ Bની વિજેતા અને ગ્રુપ Aની વિજેતા ટીમ સામેલ થશે.

આ પણ વાંચો: SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર

ICC T-20 World Cup 2021ના ગૃપ્સનું એલાન

પહેલા રાઉન્ડમાં આઠ ટીમો ભાગ લેશે, જેમાં સ્વચાલિત ક્વોલિફાયર શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના છ એ આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2019 દ્વારા તેમના સ્થાનો બુક કરાવ્યા છે. શ્રીલંકાની સાથે આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબીઆને ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઓમાન, પીએનજી અને સ્કોટલેન્ડનો મુકાબલો ગ્રુપ Bમાં બાંગ્લાદેશનો સામનો કરશે. રાઉન્ડ 1 માં રમવા માટે શ્રીલંકા એકમાત્ર ટીમ છે, જેણે ટી 20 વર્લ્ડ કપ પણ જીત્યો છે.

ICC T-20 World Cup 2021
સુપર 12

T20 World Cup 2021 Schedule- આ ચાર સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો

ICC અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.