ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ નહીં કરવા થિયેટર માલીકોની નિર્દેશકોને અપીલ

author img

By

Published : May 16, 2020, 6:27 PM IST

ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ ન રિલીઝ કરવા થિયેટર માલીકોની નિર્દેશકોને અપીલ

'ગુલાબો સીતાબો' રિલીઝ થયા બાદ શૂજિત સિરકાર પર ટાર્ગેટ કરતા આઇનોક્સે પ્રેસ રિલીઝ કરીને નિર્માતાઓને થિયેટરો ખુલવાની રાહ જોવાનું કહ્યું હતું. હવે પીવીઆરએ પણ અપીલ કરી છે.

મુંબઇ: લોકડાઉનને કારણે ઘણી મોટી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે. લગભગ 2 મહિનાના લોકડાઉન પછી, ઘણા નિર્માતાઓએ તેમની ફિલ્મો થિયેટરને બદલે સીધા ઓટીટીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આમાં આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન સ્ટારર 'ગુલાબો સીતાબો', વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર 'ઘૂમકેતુ' જેવી મોટી ફિલ્મ્સ શામેલ છે.

14 મે 'ગુલાબો સીતાબાઓ'ની ઓટીટી રિલીઝ થવાના સમાચાર પછી, આઇનોક્સ થિયેટરએ એક અખબારી યાદી જાહેર કરી છે અને નિર્માતાઓને આ મુશ્કેલ સમયમાં થિયેટરોને સપોર્ટ આપવા અપીલ કરી છે. ત્યારે પીવીઆરએ પણ જ પ્રેસ રિલીઝ કરી નિર્માતોઓથી અપીલ કરી છે.

  • Let inox release what % of their revenue is ticket sales vs F&B.F&B is based on ticket sales, no one goes to a theatre to eat,Right? Start sharing that revenue with producers as well, before accusing them for trying to survive in a world pandemic never witnessed before by mankind

    — kunal kohli (@kunalkohli) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'પીવીઆરએ ફિલ્મ નિર્માતાની સખત મહેનત દ્વારા બનેલા ફિલ્મ દર્શકોને બતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે,તેથી દર્શકોને મૂવી થિયેટરમાં બતાવવામાં આવે. કોવિડ -19 ને કારણે થિયેટરો બંધ થઈ ગયા છે, પરંતુ અમે માનીએ છીએ કે જ્યારે બધું બરાબર થઇ જશેૉ, ત્યારે સિનેમા જોવા દર્શકો ચોક્કસપણે થિયેટરમાં આવશે.

તેમણે આગળ લખ્યું, 'એ કહેવું ખોટું છે કે નિર્માતાઓ તેમની ફિલ્મોને ઓનલાઇન પ્લેટફોર્મ પર સીધા જ રિલીઝ કરે તે બાબત અમને નથી ગમતી. અમે આશા રાખીએ છીએ કે નિર્માતાઓ તેમની ફિલ્મો થિયેટરો ખોલે ત્યાં સુધી રિલીઝ ન કરે.

જોકે, ફિલ્મ નિર્માતા કૃણાલ કોહલી પણ થિયેટર માલિકોની પ્રતિક્રિયા પર ગુસ્સે થયા હતા.તેમણે ટ્વિટ કરી થેયટર માલીકોથી સવાલ પૂછી લીધું,તેમણે લખ્યું, "આઇનોક્સન જણાવે કે ટિકિટની સાથે ફૂડ-ડ્રિંક્સ અને અન્ય ખાદ્ય અને પીણાના વેચાણમાં કેટલો નફો મળે છે. કોઈ થિયેટરમાં ખાવવા માટે નથી આવતું.મૂવી જોઇને લોકો ખાય છે તેથી ખાદ્ય પ્રદાર્થોનું વેચાણ મૂવી પર આધારિત છે.નિર્માતાઓની ટીકા કરતા પહેલા જણાવો કે આ બઘાથી કેટલો નફો તમને થાય છે."

નિર્માતા ગોલ્ડી બહલે પણ શૂજિત સિરકારને ટેકો આપ્યો હતો અને 'ગુલાબો સીતાભો'ના ડિજિટલ રિલીઝ પર કહ્યું હતું કે નિર્માતાઓને તેમની ફિલ્મ રિલીઝ કરવા માટે માધ્યમ પસંદ કરવાની સ્વતંત્રતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.