War 23st Day : યુક્રેન માટે ભારત માનવતાવાદી સહાય માટે આગળ આવ્યું

author img

By

Published : Mar 18, 2022, 1:56 PM IST

Updated : Mar 18, 2022, 5:02 PM IST

War 22st Day : યુક્રેન માટે ભારત માનવતાવાદી સહાય માટે આગળ આવ્યું

આજે યુદ્ધનો 23મો દિવસ (22st day of the Russia Ukraine war) છે. યુક્રેનના મેરેફામાં એક શાળા, કોમ્યુનિટી સેન્ટર પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, કિવમાં રહેણાંક મકાન પર રશિયન રોકેટ હુમલામાં (Ukraine Russia invasion) યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મૃત્યુ થયું છે. G-7એ યુક્રેન પર રશિયાના (Russia Ukraine war) "અંધાધૂંધ હુમલા"ની નિંદા કરી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠકમાં ભારતે કહ્યું કે, યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, તેના અનુસંધાનમાં ભારત આગામી દિવસોમાં વધુ પુરવઠો મોકલવાની પ્રક્રિયામાં છે.

કિવઃ આજે યુદ્ધનો 23મો દિવસ (22st day of the Russia Ukraine war) છે. સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન (Russia Ukraine war) યુદ્ધ પર છે. આ સમયે સમગ્ર વિશ્વ એ વાતને લઈને ચિંતિત છે કે આ યુદ્ધ ભવિષ્યમાં ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ ન જાય. બેઠકોનો દોર ચાલુ છે. અમેરિકા, ભારત અને વિશ્વના અન્ય શક્તિશાળી દેશો આ યુદ્ધને રોકવાનો રસ્તો શોધી રહ્યા છે. ગુરુવારે જ, G-7ના વિદેશ પ્રધાનોએ, વિશ્વની ટોચની સાત અર્થવ્યવસ્થાઓના જૂથ, રશિયાને યુક્રેન પરના હુમલા રોકવા અને સૈનિકો પાછા ખેંચવા કહેતા આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશનું પાલન કરવા હાકલ કરી હતી.

આ પણ વાંચો: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે

આ પણ વાંચો: ટી એસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠકમાં માહિતી આપી : યુદ્ધની (Russia Ukraine war) વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠકમાં ભારતે કહ્યું કે યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત આગામી દિવસોમાં વધુ પુરવઠો મોકલવાની પ્રક્રિયામાં છે. ભારતે દવાઓ, રાહત સહાય સહિત 90 ટનથી વધુ માનવતાવાદી પુરવઠો મોકલ્યો છે. ભારતના ટી એસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠકમાં આ માહિતી આપી હતી.

રશિયન રોકેટ હુમલામાં યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મૃત્યુ : કિવમાં રહેણાંક મકાન પર રશિયન (Ukraine Russia invasion) રોકેટ હુમલામાં યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મોત થયું છે. ઓક્સાનાના મૃત્યુની પુષ્ટિ કરતા, તેણીના જૂથ યંગ થિયેટરે એક નિવેદન બહાર પાડ્યું. યુક્રેનિયન કલાકાર, ઓક્સાના શ્વેટ્સ, કિવમાં રહેણાંક મકાન પર રોકેટ હુમલા દરમિયાન માર્યા ગયા હતા, નિવેદનમાં જણાવાયું છે. ઓકસાના 67 વર્ષની હતી. તેમને યુક્રેનના સર્વોચ્ચ કલાત્મક સન્માનમાંના એકથી નવાજવામાં આવ્યા હતા. તેમને યુક્રેનના સૌથી પ્રતિષ્ઠિત કલા સન્માન, યુક્રેનનો મેરિટેડ આર્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 21 લોકોના મોત : યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવની નજીક આવેલા મેરેફામાં એક સમુદાય કેન્દ્ર અને એક શાળામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે. ખાર્કિવ પ્રદેશ ભારે બોમ્બમારો હેઠળ છે કારણ કે રશિયન દળો આ ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે. યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, કિવના ઉત્તરપૂર્વમાં આવેલા ચેર્નિહાઈવ શહેરમાં ગોળીબારમાં એ ક મહિલા, તેના પતિ અને ત્રણ બાળકોના મોત થયા છે.

આ પણ વાંચો: અમેરિકા પર રશિયાનો મોટો આરોપ - યુક્રેનમાં જંગી ફંડિંગથી જૈવિક હથિયારો બનાવવામાં આવી રહ્યા છે

રશિયન એરસ્ટ્રાઈકમાં માર્યુપોલ થિયેટરને નિશાન બનાવ્યું : રશિયન એરસ્ટ્રાઈકમાં માર્યુપોલ થિયેટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં સેંકડો લોકો આશ્રય લઈ રહ્યા હતા, હજુ સુધી મૃતકોની સંખ્યા સ્પષ્ટ નથી. બીજી તરફ બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વોલેસે કહ્યું કે, બ્રિટન અને અમારા સહયોગી દેશો રશિયન આક્રમણ સામે યુક્રેનને સમર્થન આપતા રહેશે. બ્રસેલ્સમાં, વોલેસે યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, તુર્કી, કેનેડા, સ્લોવાકિયા, સ્વીડન અને ચેક રિપબ્લિકના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને નાની જૂથ બેઠકો યોજી હતી, બ્રિટીશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન રશિયન તેલ અને કુદરતી ગેસ પર પશ્ચિમી દેશોની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના (UAE) નેતાઓ સાથે ચર્ચા કરવા ગલ્ફ ક્ષેત્રની મુલાકાતે છે.

Last Updated :Mar 18, 2022, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.