War 19th Day : ઝેલેન્સકીએ આપી ચેતવણી - નાટો પર રશિયા કરશે મિસાઈલ હુમલા, યુક્રેન સંકટ પર આજે ફરી થશે મંત્રણા

author img

By

Published : Mar 14, 2022, 9:42 AM IST

War 19th Day : ઝેલેન્સકીએ આપી ચેતવણી - નાટો પર રશિયા કરશે મિસાઈલ હુમલા, યુક્રેન સંકટ પર આજે ફરી થશે મંત્રણા

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે કહ્યું છે કે, યુક્રેનમાં (Ukraine Russia War) યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 1,067 લોકો ઘાયલ થયા છે. આજે યુદ્ધનો 19મો દિવસ (19th Day Of Russia Ukraine War) છે. આજે ફરીથી યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત થવાની આશા છે.

કિવઃ રશિયા અને યુક્રેન (Ukraine Russia War) વચ્ચેના યુદ્ધનો આજે 19મો દિવસ (19th Day Of Russia Ukraine War) છે. સમાચાર અનુસાર આજે સવારે 10:30 વાગ્યે બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) એક વિડિયો સંબોધનમાં કહ્યું કે, "રશિયા નાટોના સભ્ય પ્રદેશ પર આક્રમણ કરે તે પહેલા માત્ર સમયની વાત છે."

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) કહ્યું કે, "મેં ચેતવણી આપી હતી કે પ્રતિબંધક પ્રતિબંધો વિના રશિયા યુદ્ધ શરૂ કરશે અને મોસ્કો નોર્ડ સ્ટ્રીમ 2 નો હથિયાર તરીકે ઉપયોગ કરશે." યુક્રેનિયન પ્રમુખે કહ્યું કે, "હું ફરીથી કહું છું કે જો તમે અમારા આકાશને બંધ ન કરો, તો રશિયન મિસાઇલો તમારા પ્રદેશ પર, નાટોના પ્રદેશ પર, નાટો નાગરિકોના ઘરો પર ત્રાટકે તે પહેલા માત્ર સમયની વાત છે."

આ પણ વાંચો: યુક્રેનમાં યુદ્ધના પગલે અન્ય દેશોમાં વધારાના અમેરિકી સૈનિકોની તૈનાતી

વાતચીત વીડિયો લિંક દ્વારા થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાતચીત વીડિયો લિંક દ્વારા થશે. બીજી તરફ યુક્રેન યુદ્ધ (Ukraine Russia War) પર રશિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલા ખોટા સમાચારોને ચીન દ્વારા પ્રમોટ કરવા અંગેની USની ચિંતા વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) આજે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ચીનના વરિષ્ઠ અધિકારી સાથે વાતચીત કરવા માટે રોમ મોકલશે. યુક્રેને કહ્યું છે કે, તેણે ચેર્નોબિલ પાવર પ્લાન્ટની ક્ષતિગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું છે. આ પ્લાન્ટ રશિયન સૈનિકોના નિયંત્રણ હેઠળ છે. યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા છે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચાયુક્ત કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, માર્યા ગયેલા લોકોમાં 43 અને ઘાયલોમાં 57 બાળકોનો સમાવેશ થાય છે. કાર્યાલયે જણાવ્યું હતું કે, મોટા ભાગના નાગરિકોની જાનહાનિ ભારે તોપમારો અને મિસાઈલ હુમલાને કારણે થઈ હતી.

  • I reiterate that if you do not close our sky, it is only a matter of time before Russian missiles fall on your territory, on NATO territory, on the homes of NATO citizens: #Ukraine President Volodymyr Zelenskyy said in a video address pic.twitter.com/IiTMcRjbEK

    — ANI (@ANI) March 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટ્રેનર્સ US અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન શોના છે

રશિયાએ નાટોના સભ્ય પોલેન્ડ સાથેની યુક્રેનની પશ્ચિમ સરહદ પરના એક સૈન્ય તાલીમ મથક પર મિસાઈલ છોડી હતી, જેમાં 35 લોકોના મોત થયા હતા. યુક્રેનના અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. નાટો સભ્ય પોલેન્ડની સરહદથી 25 કિલોમીટરથી ઓછા અંતરે આવેલા આ વિશાળ સૈન્ય પ્રશિક્ષણ વિસ્તાર પર 30 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. તેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે. ટ્રેનર્સ US અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોના છે.

  • Ukraine President Volodymyr Zelenskyy urges Ukraine no-fly zone or "Russian rockets will fall" on NATO soil: AFP reports

    — ANI (@ANI) March 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રશિયન સૈનિકોની ગોળીઓથી એક પત્રકારનું મોત થયું

પોલેન્ડ એ યુક્રેનને પશ્ચિમી લશ્કરી સહાયનો પરિવહન માર્ગ છે. રશિયા દ્વારા વિદેશી હથિયારોના કન્સાઈનમેન્ટને નિશાન બનાવવાની ધમકી બાદ આ હુમલો થયો છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર બે અઠવાડિયાથી વધુ રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા 596 નાગરિકો માર્યા ગયા છે. જો કે, આ વૈશ્વિક સંસ્થા અનુસાર, ચોક્કસ આંકડો વધારે હોઈ શકે છે. લ્વીવના ગવર્નર મેક્સિમ કોઝિટસ્કીએ જણાવ્યું હતું કે, રવિવારે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી કારણ કે, એર ડિફેન્સ સિસ્ટમ કામ કરતી હતી. હુમલામાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા હતા. કિવ પ્રદેશની પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયન સૈનિકોની ગોળીઓથી એક પત્રકારનું મોત થયું હતું.

રશિયા પર વધી રહેલા તણાવ વચ્ચે યુએસ અને ચીનના ઉચ્ચ સલાહકારો બેઠક કરશે

યુક્રેન યુદ્ધ પર રશિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલી ખોટી માહિતીના ચીનના પ્રમોશન અંગે USની ચિંતા વચ્ચે, રાષ્ટ્રપતિ જો બાઈડન આજે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને એક વરિષ્ઠ ચીની અધિકારી સાથે વાતચીત કરવા માટે રોમ મોકલશે. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એમિલી હોર્ને કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ચીનની વિદેશ નીતિના વરિષ્ઠ સલાહકાર યાંગ જિચી વચ્ચેની વાતચીતમાં આપણા બંને દેશો વચ્ચેની સ્પર્ધા અને યુક્રેન યુદ્ધની પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા અસરો પર ચર્ચા કરવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વ્હાઇટ હાઉસે ચીન પર ખોટા રશિયન દાવા ફેલાવવાનો આરોપ મૂક્યો

વ્હાઇટ હાઉસે ચીન પર ખોટા રશિયન દાવા ફેલાવવાનો આરોપ મૂક્યો છે કે, યુક્રેન USના સમર્થનથી રાસાયણિક અને જૈવિક શસ્ત્રોની પ્રયોગશાળા ચલાવી રહ્યું છે અને USએ સ્પષ્ટ કર્યું છે કે, અન્ય દેશોએ રશિયન અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ નહીં. "અમે એ સુનિશ્ચિત કરીશું કે ચીન કે અન્ય કોઈ આ નુકસાન માટે રશિયાને વળતર આપી શકે નહીં,"

આ પણ વાંચો: અમેરિકા પર રશિયાનો મોટો આરોપ - યુક્રેનમાં જંગી ફંડિંગથી જૈવિક હથિયારો બનાવવામાં આવી રહ્યા છે

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયન દ્વારા પણ રશિયન દાવો કરવામાં આવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે ત્યાં 26 બાયો-લેબ્સ અને સંબંધિત કેન્દ્રો છે "જેના પર US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું સંપૂર્ણ નિયંત્રણ છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, તેને આવા આરોપોને સમર્થન આપતી કોઈ માહિતી મળી નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.