પ્રખ્યાત તમિલ અભિનેત્રી મીનાના પતિનું 48 વર્ષની વયે આ કારણે અવસાન, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક

author img

By

Published : Jun 29, 2022, 1:16 PM IST

પ્રખ્યાત તમિલ અભિનેત્રી મીનાના પતિનું 48 વર્ષની વયે આ કારણે અવસાન, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક

પ્રખ્યાત તમિલ અભિનેત્રીના પતિનું 48 વર્ષની વયે આ કારણે અવસાન (actress Meena's husband Vidyasagar passed away) થયું હતું. અગાઉ, તે કોવિડ -19 ની ઝપેટમાં આવી ગયો હતો.

ચેન્નાઈઃ જાણીતી તમિલ અભિનેત્રી મીનાના (Tamil actress Meena) પતિ વિદ્યાસાગરનું મંગળવારે રાત્રે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 48 વર્ષની વયે નિધન (actress Meena's husband Vidyasagar passed away) થયું હતું. અભિનેત્રીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાસાગરને આ વર્ષે માર્ચમાં ફેફસાની બિમારી હોવાનું નિદાન થયું હતું અને તેમની સારવાર કરવાની હતી.

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીના જીવન પર બનેલી ફિલ્મની જાહેરાત, આ દિવસે થશે રિલીઝ

ફેફસાની સમસ્યાની સારવાર: અગાઉ, તે કોવિડ -19 ની પકડમાં આવી ગયો હતો, પરંતુ તે તેમાંથી બહાર આવવામાં સફળ રહ્યો હતો. સૂત્રોનું માનીએ તો, ફેફસાની સમસ્યાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાસાગરની તબિયત મંગળવારે રાત્રે બગડી હતી અને સાંજે લગભગ 7 વાગે તેમનું અવસાન થયું હતું.

અંતિમ સંસ્કાર ચેન્નાઈના બેસંત નગર સ્મશાનગૃહમાં: તેમના અંતિમ સંસ્કાર ચેન્નાઈના બેસંત નગર સ્મશાનગૃહમાં બપોરે 2 વાગ્યે કરવામાં આવનાર છે. મીના, જેમણે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સિનેમામાં વ્યાપકપણે કામ કર્યું છે.

આ પણ વાંચો: બિગ બીની કાર પર મિસ્ટર પરફેક્શનિસ્ટની ટકોર, જુઓ અમિતાભની પ્રતિક્રિયા

આ ઉપરાંત, અભિનેત્રી મોહનલાલની 'દ્રશ્યમ' અને કમલ હાસનની 'અવય સન્મુગી' સહિત અનેક વિવેચકો દ્વારા વખાણાયેલી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.