Ahmedabad Crime : વાહન હટાવવાની વાત હત્યામાં પરિણામી, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
Published: Jan 16, 2023, 4:49 PM


Ahmedabad Crime : વાહન હટાવવાની વાત હત્યામાં પરિણામી, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
Published: Jan 16, 2023, 4:49 PM
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બાઈક હટાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરાર (Meghaninagar Youth murder case) હત્યામાં પરિણામી છે. મેઘાણીનગર પોલીસે બે આરોપીઓ (Ahmedabad Crime News) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સુમિત ચૌહાણ અને ગૌરવ ચૌહાણ નામ બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. (Youth murder case in Ahmedabad)
અમદાવાદ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર વાસી ઉત્તરાયણના દિવસે સવારે ચિરાગ પાટીલ નામના યુવકને છરી ના ઘા ઝીંકવામાં આવ્યા હતા. બનાવના પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મેઘાણીનગર પોલીસે બે લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે.
શું હતો સમગ્ર બનાવ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક ચિરાગ પાટીલ બે દિવસ પહેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બાઈક હટાવવા મામલે બંને આરોપીઓ સાથે તેની તકરાર થઈ હતી. જેના બે દિવસ પછી એટલે કે વાસી ઉતરાયણના દિવસે મૃતક તેના મામા સાથે મેઘાણીનગર વિસ્તારમાં પસાર થઈ રહ્યો હતો. તે સમયે આરોપીઓ એક જગ્યાએ ઊભા હતા અને આરોપીઓને જોઈને મૃતકે તેના મામાને આજ લોકો સાથે તેનો ઝઘડો થયો હતો તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ ફરીવાર ઝઘડો શરૂ કરીને ઝપાઝપી કરી હતી અને બંને આરોપીઓએ ચિરાગ પાટીલની હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપીઓને કેવી રીતે પકડાયા આ ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને થતા પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. આ ઘટના પાછળ જવાબદાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. જોકે પોલીસે અંતે આરોપીઓનું લોકેશન મેળવીને તેઓને હસ્તગત કર્યા છે. આ મામલે પકડાયેલા આરોપીને ધરપકડ કરવાની તજવીજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન શરૂ કરી છે. તેવામાં આરોપીઓની તપાસમાં હત્યા પાછળનું ખરું કારણ જાણી શકાશે.
આ પણ વાંચો દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ કરી હત્યા, પરિવારજનોએ આરોપીનું ઉપરાણું લઈ પોલીસને ગેરમાર્ગે દોરી
મૃતકના સંબંધીએ શું કહ્યું આ અંગે મૃતક ચિરાગ પાટીલના સંબંધીએ જણાવ્યું હતું કે, 13મી જાન્યુઆરીના રોજ ચિરાગ પાટીલની માતાને લઈને હોસ્પિટલ જવાનું હોય, પરંતુ આરોપીઓએ પોતાનું વાહન રસ્તાની વચ્ચે ઊભું રાખ્યું હતું. તેઓને વાહન હટાવવાનું કહેતા તેઓ ન માન્યા હતા. જે બાદ 15મી જાન્યુઆરીએ સાંજના સમયે તેઓ અને ચિરાગ પાટીલ મેઘાણીનગર વિસ્તારમાં ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ આરોપીઓએ આવીને તેને ખંજરના ઘા મારીને મૃત્યુ નિપજાવ્યું હતું.
આ પણ વાંચો Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા
પોલીસનું નિવેદન આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI યશવંતસિંહ જે. રાઠોડે જણાવ્યું હતું કે, વિસ્તારમાં બનેલી હત્યાની ગંભીરતાને લઈને પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડીને આરોપીઓને હસ્તગત કર્યા છે. આરોપીઓ અને મૃતક વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, તેમજ હત્યા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
