વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે શું કરી કાર્યવાહી?

author img

By

Published : May 27, 2022, 8:14 PM IST

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે શું કરી કાર્યવાહી?

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ(Torture of stray cattle Vadodara) નિવારવા મેેયરે ગેરકાયદેસર ઢોરવાડા સીલ(Illegal cattle seal) કરવાની અને શુઓ પકડવાની કામગીરી કાર્યવાહી કરી હતી. વાઘોડિયા રોડ ઉપર ઢોરવાડ સીલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ કોર્પોરેશનની કામગીરી સામે પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વાસ તળાવ આસપાસ ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને રખડતા પશુઓ પકડવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરી હતી. પશુપાલકો અને કોર્પોરેશન વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાઘોડિયા રોડથી ધારવાડ સીલ(Illegal cattle seal) પર પોલીસ હાઈ એલર્ટ પર હતી. કોર્પોરેશનની કામગીરી(Operation of Vadodara Corporation) સામે પશુપાલકોએ દેખાવો કર્યો હતો.

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે ગેરકાયદેસર ઢોરવાડા સીલ(Illegal cattle seal) કરવાની અને શુઓ પકડવાની કામગીરી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: Neglect of Junagadh Corporation : જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ કેમ પોકારી રહ્યાં છે?

શહેરના પાંચ લોકો ભોગ બન્યા બાદ મેયરે હાથ ધર્યું મહા અભિયાન - વડોદરા કોર્પોરેશન દબાણ શાખા દ્વારા આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ પર આવેલા વાસ તળાવ આસપાસ ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મકાન પાસે બાંધેલી ગાયો કોર્પોરેશનના કર્મચારીઓએ પકડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે ઘરમાં બાંધેલી ગાયો પકડી રહ્યા છે. મેયર દ્વારા વડોદરા શહેરમાં પાંચ લોકો ભોગ બન્યા બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બાંધેલી ગાયો કોર્પોરેશનના કર્મચારીઓએ પકડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
બાંધેલી ગાયો કોર્પોરેશનના કર્મચારીઓએ પકડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: Law on Stray Cattle In Gujarat: રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું? માલધારી આગેવાનોએ ઉઠાવ્યો પ્રશ્ન

હાલ સુધીમાં 4 જેટલા ધોરવાળા સીલ કર્યા - આ અંગે શહેર મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, હાલ સુધીમાં 4 જેટલા ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પોલીસ અને કોર્પોરેશન સંયુક્ત કામગીરીમાં જોતરાયું છે. કોઈ કામગીરી ગેરકાયદેસર કરવામાં આવી રહી નથી. જે લોકોએ ગેરકાયદેસર ઢોરવાડા ઉભા કર્યા છે તેવા ચાર ઢોરવાડા સીલ કરી 20 જેટલી ગાયો ઝડપી પાડી છે. આ ઘટનાને લઈ કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.