Singhrot water Project : વડોદરા મેયર અને એમએલએનું પાણીપત સર્જાયું?, પીએમ મોદી કરવાના છે ઉદ્ઘાટન

author img

By

Published : Jun 14, 2022, 5:54 PM IST

Singhrot water Project : વડોદરા મેયર અને એમએલએનું પાણીપત સર્જાયું?, પીએમ મોદી કરવાના છે ઉદ્ઘાટન

વડોદરામાં PM નરેન્દ્ર મોદીની સભા અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા વડોદરા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં સિંધરોટ પાણીનો મુદ્દો (Dispute between Vadodara Mayor and MLA ) ઉછાળ્યો હતો. ખાનગી હોટલમાં મળેલી બેઠકમાં મેયરે સિંધરોટનું 30 એમ.એલ.ડી પાણી (Singhrot water Project) દક્ષિણ ઝોનને મળશે તેમ કહેતા જ ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા હતાં. તેમણે પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ વિસ્તારના લોકો સાથે જન આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી. સિંધરોટ પાણી પ્રોજેક્ટનું PM દ્વારા લોકાર્પણ કરાશે

વડોદરા - વડોદરામાં પીવાના પાણી મામલે મેયર અને ધારાસભ્ય (Vadodara Manjalpur MLA Yogesh Patel ) આમને-સામને આવી ગયા હતાં. મહત્વનું છે કે, PMના કાર્યક્રમને લઇ સી આર પાટીલની હાજરીમાં એક બેઠક મળી હતી. જેમાં સિંધરોટ પાણી પ્રોજેક્ટનું (Singhrot water Project) PM દ્વારા લોકાર્પણ કરાશે લોકાર્પણ બાદ પ્રોજેક્ટથી દક્ષિણ ઝોનમાં 35 MLD પાણી આપવાની મેયરે જાહેરાત કરી. મેયર દ્વારા કરાયેલી જાહેરાતને લઇ ધારાસભ્ય યોગેશ પટેલ (Dispute between Vadodara Mayor and MLA )ભડક્યા હતાં.

વિવાદ મુદ્દે મેયર અને એમએલએ બંનેએ પોતાની વાત રજૂ કરી હતી

આ પણ વાંચોઃ Scam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ

આંદોલનની ચીમકી - યોગેશ પટેલ દ્વારા દક્ષિણ ઝોનમાં 50 MLD પાણી આપવા માંગ કરવામાં આવી હતી 50 MLD પાણી ન અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. દક્ષિણ ઝોનમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ આવી રહી છે. મહત્વનું છે કે, ગઇકાલે PM મોદીના કાર્યક્રમને લઇ સમીક્ષા બેઠક મળી હતી. પાણીની માંગમાં આમને-સામને થયા (Dispute between Vadodara Mayor and MLA ) બાદ યોગેશ પટેલનું નિવેદન આવ્યું કે માંજલપુર માટે 50 MLD પાણીની માંગ કરી છે.

સિંધરોટ પાણી પ્રોજેક્ટનું  PM દ્વારા લોકાર્પણ કરાશે
સિંધરોટ પાણી પ્રોજેક્ટનું PM દ્વારા લોકાર્પણ કરાશે

હાલ માંજલપુરને 28 MLD પાણી મળે છે. ઘણા વર્ષોથી માંજલપુરને નવા જોડાણો આપ્યા નથી અને સૌથી ઓછું પાણી માંજલપુરને મળે છે. સિંધરોટનો પ્લાન્ટ (Singhrot water Project) 150 MLDનો છે તેમાંથી માંજલપુરને 50 MLD પાણી આપે. આ અંગે મે તત્કાલીન મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે,ત્યારે 130 કરોડ મંજૂર કરાવીને આ પ્લાન્ટ બનાવ્યો છે.

ઘણા વર્ષોથી માંજલપુરને નવા જોડાણો આપ્યા નથી અને સૌથી ઓછું પાણી માંજલપુરને મળે છે.
ઘણા વર્ષોથી માંજલપુરને નવા જોડાણો આપ્યા નથી અને સૌથી ઓછું પાણી માંજલપુરને મળે છે.

આ પણ વાંચોઃ C R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો

મેયરે શું કહ્યું - વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ (Vadodara Manjalpur MLA Yogesh Patel ) દ્વારા પાણીની માંગનો મામલે મેયર કેયૂર રોકડીયાનું (Vadodara Mayor Keur Rokadia) કહેવું છે સિંધરોટ પ્રોજેક્ટમાંથી (Singhrot water Project) દક્ષિણ ઝોનને પાણી અપાશે. 15 MLD પાણી પૂર્વ ઝોનમાથી આવતું હતું તે પૂર્વ ઝોનને પાછું ફાળવી દેવાશે. આગામી સમયમાં 150 MLD પાણી સિંધરોટ પ્રોજેક્ટમાંથી મેળવી શકીશું. સી.આર.પાટીલ (Region President CR Patil meeting) સામે કોઇ બોલાચાલી (Dispute between Vadodara Mayor and MLA ) નથી થઇ. યોગેશ પટેલે 50 MLD પાણી દક્ષિણ ઝોનને આપવા માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.