વડોદરા સામુહિક દુષ્કર્મ કેસની તપાસ માટે SITની કરાઈ રચના

author img

By

Published : Nov 25, 2021, 7:44 AM IST

Vadodara gang rape case

વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યા (Navsari student commits suicide in Gujarat Queen) પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજુ પણ પોલીસની તપાસ ચાલી રહી છે. આ કેસને (Vadodara gang rape case) ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના (Formation of SIT) કરવામાં આવી છે.

  • વડોદરા દુષ્કર્મ કેસમાં SITની રચના કરાઈ
  • દિવાળીના દિવસે વલસાડ ટ્રેનમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
  • ગુનેગારોને પકડવાના તમામ પ્રયાસ કરી રહી છે પોલીસ

વડોદરા: વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યા (Navsari student commits suicide in Gujarat Queen) પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજુ પણ પોલીસની તપાસ ચાલી રહી છે. આ કેસમાં (Vadodara gang rape case) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ આ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના પણ કરવામાં આવી છે. CID અને રેલવે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, SITની સીટમાં 6 સિનિયર અધિકારીઓની સુપરવિઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે.

વડોદરા સામુહિક દુષ્કર્મ કેસની તપાસ માટે SITની કરાઈ રચના

આ પણ વાંચો: વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

250 CCTV કેમેરાના વીડિયો ચેક કરાયા

દુષ્કર્મ (Vadodara gang rape case) મામલે રેલવે SP દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધી અમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ કરી 250 CCTV કેમેરાના વીડિયો ચેક કર્યા છે. જ્યારે 300થી વધુ ગુનેગારોની પૂછતાછ પણ કરવામાં આવી છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે, નવસારીની યુવતીનું (Navsari student commits suicide in Gujarat Queen) રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. દુષ્કર્મનો બનાવ સાંજના 6 30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાનો ભેદ ઉકેલવા SITની રચના કરાઈ છે.

આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસ: નવસારીની પીડિતાના મેસેજથી આત્મહત્યાને બદલે હત્યાની શક્યતા વધી

પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત

રેલવે SPએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સતત ગુનેગારોને પકડવા તમામ પ્રયાસ કરી રહી છે. જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત. બીજી તરફ તેમણે ઉમેર્યું હતું કે, તે કામ કરતી હતી તે સંસ્થા તરફથી હાલ સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના (Vadodara gang rape case) 29મીએ બની હતી અને આત્મહત્યા ત્રણ તારીખે કરી હતી. ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલું છે. ભોગ બનનારી દીકરીએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પાનાંનો ફોટો પોલીસને સુપરત કર્યો છે.

હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી

તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી.

9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી SITની રચના કરાઈ

આરોપીઓને ઝડપી પાડવા SITની ટીમમાં વડોદરા રેલવે SP પરીક્ષિતા રાઠોડ, DCP ક્રાઇમ જયદીપસિંહ જાડેજા, રેલવે DySP બી.એસ.જાધવ, વડોદરા રેલવે PI એ.બી.જાડેજા, સુરત રેલવે PI કે.એમ ચૌધરી, વલસાડ રેલવે PSI જે.બી.વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવારે સાંજે SITના ગઠન બાદ રાત્રે વેક્સિન મેદાન કે જ્યાં સામુહિક દુષ્કર્મ થયું હતું ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસને યુવતીની આત્મહત્યાના 21માં દિવસે પણ આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી. રેલવે ઓફિસ ખાતે SITના અધિકારીઓ મીટિંગ યોજશે. આ મામલે CID, ક્રાઇમબ્રાન્ચ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના (Formation of SIT) કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.