પર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં

author img

By

Published : Jun 5, 2021, 8:25 PM IST

પર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં

વડોદરા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતે આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે પરંતુ રિપીટર પરીક્ષાર્થીઓ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે. આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

  • વિશ્વ પર્યાવરણ દિવસે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વડોદરાની મુલાકાતે
  • કોર્પોરેશને રાજીવનગર ખાતે તૈયાર શહેરીવનનું લોકાર્પણ કર્યું
  • કાર્યક્રમમાં મેયર, ધારાસભ્યો, અધિકારીઓ પણ હાજર

વડોદરાઃ વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવેલા વડોદરા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતે આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. પરંતુ રિપીટર પરીક્ષાર્થીઓ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે. આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ રિપીટર વિદ્યાર્થીઓ અંગે ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર પરીક્ષાર્થીઓ અંગે સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. શિક્ષણપ્રધાનના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે, ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર પરીક્ષાર્થીઓને પણ સરકાર માસ પ્રમોશન જાહેર કરી શકે છે.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

આ પણ વાંચોઃ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ: સરકારી બેડના દર્દીઓ પાસેથી રૂપિયા તો નથી લીધાને તપાસ શરૂ કરવામાં આવી

સુમનદીપ વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલનો વિવાદ

વડોદરા ખાતે આવેલા શિક્ષણપ્રધાનના હસ્તે વડોદરા મહાનગર સેવા સદન અને ગુજરાત રાજ્ય વન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે બાદ તેઓએ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વડોદરા વાઘોડીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠ ખાતેથી ઓક્સિજન લિક્વીડ ટેન્કનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે, સુમનદીપ વિદ્યાપીઠની ધીરજ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર આપવામાં થયેલા ગોટાળાને કારણે ચર્ચામાં છે અને તેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે શિક્ષણપ્રધાન દ્વારા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે જઇ ઓક્સિજન ટેન્કને ફ્લેગ ઓફ આપતા ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ વડોદરાથી વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આજથી વહેલી તકે મળશે વેક્સિનનો બીજો ડોઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.