ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે

author img

By

Published : Nov 5, 2020, 4:24 PM IST

ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે

ડભોઈ નગરની મધ્યમાં ઐતિહાસિક ધોબી તળાવ ટાવર વિસ્તારમાં આવેલું છે. 4 વર્ષ અગાઉ જ્યારે ડભોઈ પાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે આ તળાવનું બ્યૂટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે હજૂ પૂર્ણ થયું નથી.

  • ડભોઈના ઐતિહાસિક ધોબી તળાવના બ્યૂટિફિકેશનનું કામ ખોરંભે પડ્યું
  • પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે બ્યૂટિફિકેશન માટે તાકીદ કરાઈ હતી
  • તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી આવતા જતા લોકોને હાલાકી
    ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે
    ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે

વડોદરાઃ ડભોઈ નગરની મધ્યમાં ઐતિહાસિક ધોબી તળાવ ટાવર વિસ્તારમાં આવેલું છે. 4 વર્ષ અગાઉ જ્યારે ડભોઈ પાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે આ તળાવનું બ્યૂટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે હજૂ પૂર્ણ થયું નથી. આ ઐતિહાસિક તળાવના કિનારે ડભોઈનું એક માત્ર વિશાળ શાકમાર્કેટ પણ હતું. જે તળાવનું બ્યૂટિફિકેશન 6 માસમાં પૂર્ણ થશેની હૈયાધારણા આપી શાકભાજીના વેપારીઓને ડભોઈના મોતીબાગ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે, આજે 4 વર્ષ વીતી ગયા છતાં હજી સુધી તળાવના બ્યૂટિફિકેશન માટે એક ઈંટ પણ હલાવવામાં નથી આવી. જેથી વેપારીઓમાં તો ભારે રોષ છે. આ સાથે જ રોજબરોજની શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે
ડભોઈનો ધોબી તળાવનું બ્યૂટિફિકેશનનું કામ પાલિકાએ 4 વર્ષથી માળિયે ચઢાવી રાખ્યું છે

તળાવ પાસેના શાકભાજીના વેપારીઓને તંત્રએ કોણીએ ગોળ ચોટાડી ત્યાંથી ખસેડ્યા હતા

રાજકીય આંટીઘુંટીને પગલે તળાવ બ્યૂટિફિકેશનનું કામ ખોરંભે પડ્યું હોવાનું લોકોનું માનવું છે. વહેલી તકે તળાવ બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થાય અને પુનઃ શાકમાર્કેટ તળાવના કિનારે શરૂ કરવામાં આવે તેવી લોક માગ ઊઠી છે. દુકાનો બનવા માટે બનાવેલી પાળીઓ પણ તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ, જ્યારે તળાવ કિનારે ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે. હવે આ તળાવનું બ્યૂટિફિકશનનું કામ પૂર્ણ થશે તે તો પાલિકા તંત્ર જ જાણે? પરંતુ 6 માસની મુદ્દતે અહીંથી સ્થળાંતર કરાવેલા શાકભાજી બજારને પુનઃ તળાવ કિનારે લાવે તેવી લોક માગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.