Vadodara Rathyatra 2022: જય જગન્નાથ સાથે અહીં પણ ભગવાનનો જળાભિષેક

author img

By

Published : Jun 14, 2022, 3:16 PM IST

Vadodara Rathyatra 2022: જય જગન્નાથ સાથે અહીં પણ ભગવાનનો જળાભિષેક

વડોદરામાં ઈસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીને જળાભિષેક (Anointing at the ISKCON temple) કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરમાં ભગવાનને 1,500 જેટલા વિવિધ વ્યંજનોનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

વડોદરાઃ શહેરના ગોત્રિ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં (Gotri Harinagar ISKCON Temple) ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરવામાં (Anointing at the ISKCON temple) આવ્યો હતો. ઈસ્કોન મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને તેમના સ્થાન પરથી વિધિવત રીતે પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમનું પૂજન-અર્ચન કર્યા બાદ નર્મદા, મહીસાગર અને ગંગા નદીના પવિત્ર પાણીથી તેમનો જળાભિષેક (Anointing at the ISKCON temple) કરવામાં આવ્યો હતો.

ઈસ્કોન મંદિરમાં યોજાયો જળાભિષેક કાર્યક્રમ

આ પણ વાંચો- Jagannath Jalyatra 2022: જળયાત્રા પછી ભગવાન જગન્નાથની આરતી ઉતારવામાં આવી, હવે ભગવાન જશે મોસાળ

41મો જળાભિષેક પૂજન કાર્યક્રમ યોજાયો - વડોદરા ગોત્રિ હરીનગર ચાર રસ્તા નજીક આવેલા ઈસ્કોન મંદિર (Gotri Harinagar ISKCON Temple) ખાતે ભગવાન જગન્નાથજીના 41મા જળાભિષેક પૂજનનો કાર્યક્રમ (Anointing at the ISKCON temple) યોજાયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો અને ઈસ્કોન મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt), ધારાસભ્ય સીમા મોહિલે, ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અહીં ભગવાનની આરતી- પૂજન કરીને કિર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીનો પવિત્ર જળોથી જળાભિષેક (Anointing at the ISKCON temple) કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ માટે વૃંદાવનથી આવ્યા ખાસ વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતિક

91 પ્રકારના પ્રસાદ અર્પણ કરાયા - તે મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને 91 વિવિધ પ્રકારના પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે જળાભિષેક (Anointing at the ISKCON temple) બાદ ભગવાન જગન્નાથજીના મંદિરના નિજાર બંધ થઈ ગયા હતા. એટલે હવે આ નજારો હવે 1 જુલાઈએ અષાઢી બીજના દિવસે જોવા મળશે. તે દિવસે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામજી , બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Vadodara Rathyatra 2022) તરીકે પ્રસિદ્ધ છે.

1,500 વ્યંજન ભગવાનને ધરાવાયા - ભગવાન જગન્નાથજીના જળાભિષેક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત (Vadodara Rathyatra 2022) રહ્યા હતા. સાથે જ અહીં ઉપસ્થિત મહેમાનોએ નદીઓના પવિત્ર જળથી ભગવાનને સ્નાન (Bathing of God in the ISKCON temple) કરાવ્યું હતું. આ પ્રસંગે 1,500 જેટલા વિવિધ વ્યંજનોની મહાપ્રસાદી પણ ધરાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.