ભાજપ પાર્ટી ડરી ગઈ છે એટલે જ બુલ્ડોઝર મોકલીને દબાણ ઊભું કરે છેઃ ચઢ્ઢા

author img

By

Published : Sep 24, 2022, 3:22 PM IST

Updated : Sep 24, 2022, 5:12 PM IST

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ AAP સામે મહાનગરપાલિકાએ કરી પીછેહઠ

વડોદરામાં છાણી ખાતે ખાનગી પાર્ટી પ્લોટનું દબાણ તોડવા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) ટીમ પહોંચી હતી. ત્યારે અહીં આમ આદમી પાર્ટીના સમર્થકોએ વિરોધ (Aam Aadmi Party Protest) દર્શાવ્યો હતો. આ ઘટનાને લઈને રાજકોટ આવેલા આમ આદમી પાર્ટીના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આકરી પ્રતિક્રિયા આપીને ભાજપ પર શાબ્દિક વાર કર્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) દબાણ શાખાની ટીમ છાણી ખાતે ખાનગી પાર્ટી પ્લોટનું દબાણ તોડવા પહોંચી હતી. તે દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Protest) મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી આ દબાણ રાજકીય નેતાઓના ઈશારે તોડવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સંવાદ કાર્યક્રમ પાર્ટી પ્લોટના સ્થળે દબાણ શાખા પહોંચી

શું બોલ્યા ચઢ્ઢાઃ આ મામલે રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ભાજપ ડરી ગયેલી પાર્ટી છે. પણ ગુજરાતની પ્રજા આવી કોઈ વસ્તુઓ સ્વીકારશે નહીં. કોઈ જાણકારી વગર ડિપાર્ટમેન્ટને મોકલીને અરવિંદ કાકાની ઈમારત તોડવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી. આવું કોંગ્રેસ સાથે થયું નથી. રાહુલ ગાંધીએ કોઈ ઈમારતમાં મિટિંગ કરી હોય તો એ ઈમારત ભાજપે તોડી નથી. આજે આ બુલ્ડોઝર મોકલીને તળ કક્ષાની રાજનીતિ ભાજપે કરી છે. ભાજપ ખરેખર ડરી ગયેલો પક્ષ થઈ ગયો છે. આ બદલે લેવાની વૃતિ છે. ક્યારેય ઈમારત સામે બદલો થોડી લેવાનો હોય. કાલે ભાજપ અહીં આવીને હોલને પણ તોડી પાડશે. ગુજરાતના લોકો શું આ સ્વીકારશે. આવી રાજનીતિ કોઈ ગુજરાતી સહન કરે ખરા?

  • BJP की गुंडागर्दी अपने चरम पर है।

    पहले ये AAP के कार्यक्रम रोकने के लिए स्थानीय कार्यक्रम स्थलों के मालिको को डरा धमका रहे थे, अब @ArvindKejriwal जी की सभा न हो इसलिए खौफ खाए ये हॉल तुड़वाने पर उतर आए है

    गुजरात की जनता सब देख रही है।इनकी गुंडागर्दी का पूरा हिसाब दिसंबर में होगा https://t.co/LXNJXWhfwW

    — Manish Sisodia (@msisodia) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મનપાની ટીમ પર પહોંચી થોડાક દિવસ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) આ જ જગ્યા પર વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આખરે પાર્ટી પ્લોટ માલિકની નોટિસ માગણી અને આમ આદમી પાર્ટીના ભારે વિરોધ બાદ (Aam Aadmi Party Protest) દબાણ શાખાની ટીમ પરત (Vadodara Municipal Corporation) ફરી હતી.

  • ભાજપના માજી બુટલેગર પ્રદેશપ્રમુખને ચડ્યો સત્તાનો નશો!

    ભ્રષ્ટ ભાજપની આ તાનાશાહીનો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જાગૃત જનતા મજબૂત જવાબ આપશે! pic.twitter.com/3NNqlLN7xZ

    — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છાણીના પાર્ટી પ્લોટની ઘટના શહેરના છાણી ખાતે આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી. કોઈ પણ નોટિસ આપ્યા વગર પાર્ટી પ્લોટના પાછળના ભાગમાં આવેલા કાચા દબાણ તોડવા આ ટીમ આવી હતી. જોકે, અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ (Aam Aadmi Party Protest)પણ કર્યો હતો. તો અહીં પ્લોટના માલિક આવી જતાં સમગ્ર મામલો શાંત (Vadodara Municipal Corporation news) થયો હતો.

  • ગેરકાયદેસર દબાણ કરવું, ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરવો તથા જૂઠ્ઠાણું ચલાવી જનતા માં ભ્રામક પ્રચાર કરવો એ જ આમ આદમી પાર્ટી ની હકીકત દર્શાવે છે. pic.twitter.com/8k03A70QSQ

    — Ranjan Bhatt (MP) (@mpvadodara) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાર્ટી પ્લોટના માલિકે શું કહ્યું આ અંગે ખાનગી પાર્ટી પ્લોટના સંચાલકે જણાવ્યું હતું કે, આ પાર્ટી પ્લોટ પર અનેક રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમ કર્યા છે. આ પ્લોટમાં દબાણ બાબતે કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. જો અમારે દબાણ હશે તો અમે જાતે જ હટાવી લઈશું તેવી બાંહેધરી આપી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના સંવાદ કાર્યક્રમ (Delhi CM Arvind Kejriwal) પછી આ પ્રકારની કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સ્ટંટ હોઈ શકે છે તેવું જણાવ્યું હતું. આખરે સમગ્ર મામલે હાલમાં પાર્ટી પ્લોટ નું દબાણ ટીમ દ્વારા તોડ્યા વિનાજ પરત ફરી હતી.

Last Updated :Sep 24, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.