એ દી' વરસાદે ગામને કર્યું હતું ખેદાન-મેદાન, અનેક જીંદગીઓ થઈ તબાહ

author img

By

Published : Jun 22, 2022, 9:56 AM IST

Updated : Jun 22, 2022, 10:35 AM IST

જળ હોનારતની ભયંકર તબાહી

જૂનાગઢના શાપુરમાં આજથી 39 વર્ષ પહેલા જળ હોનારતે (Shapur Floods 1983) તબાહી મચાવી હતી. 22મી જુન 1983ના દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે (Shapur Water Disaster) શાપુરને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. આ તબાહીને લઈને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તાત્કાલિક કેટલાક નિર્ણય લીધા હતા.

જૂનાગઢ : આજે શાપુર હોનારતને 39 વર્ષ પુરા થયા છે. 22મી જુન 1983ના (Shapur Floods 1983) દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. આજે 39 વર્ષ બાદ પણ શાપુર હોનારતને નજરે જોનારા લોકો હોનારતની ભયાનકતા અને હોનારતના નુકસાનને આંખ સમક્ષ તરવરતું જોઈને ગમગીન બની જાય છે.

જળ હોનારતની ભયંકર તબાહી બાદ ફરી જીવત થયું

વરસાદી આફત - આજે 39 વર્ષ બાદ શાપુર વાસીઓ હોનારતને લઈને ગમગીન બની જાય છે. 24 કલાકમાં ભારે વરસાદે શાપુરને ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. જેમાં હજારો પશુઓ અને અનેક માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. શાપુરના પ્રત્યેક ઘર પૂરના પાણીમાં ગરકાવ (Shapur Water Disaster) થઇ ગયા હતા. રોદ્ર બનેલી ઓજત નદીમાં શાપુર વાસીઓની પરસેવાની તમામ કમણીઓ અને અનાજ પણ તણાઈ ગયું હતું. આ દ્રશ્યો આજે 38 વર્ષ બાદ પણ જળ પ્રલયને નજરે જોનારા વ્યક્તિઓ યાદ કરીને ગમગીન બની જાય છે.

જળ હોનારતની ભયંકર તબાહી
જળ હોનારતની ભયંકર તબાહી

એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ - વર્ષ 1983ની 22મી જૂનના દિવસે શાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શાપુર ગામ જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ બની ગયો હોય તેવા દ્રશ્યોનું વર્ણન જે તે સમયે શાપુર હોનારતને નજરે જોનારા લોકોએ ETV bharat સમક્ષ પોતાની મનોવ્યથા વ્યક્તિ કરી હતી. 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે શાપુરના મોટાભાગના ઘરો જળમગ્ન બની ગયેલા જોવા મળતા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ખૂબ જ સંઘર્ષ કરતા હતા. પરંતુ કાચા અને નળિયાવાળા (Shapur Water Disaster 1983) મકાનો હોવાને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં શાપર વાસીઓનો જીવ પાણી પર તરતો જોવા મળતો હતો. હજારોની સંખ્યામાં પશુધન પૂરમાં તબાહ થયું હતું. અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આજે આ વસમી ઘડીને 39 વર્ષ પુરા થઇ રહ્યા છે.

લોકો રહેવા માટે છત લાપતા
લોકો રહેવા માટે છત લાપતા

આ પણ વાંચો : Shapur Water Disaster: આજે શાપુર જળ હોનારતને થયા 38 વર્ષ, 70 inch વરસાદે શાપુરને કર્યું હતું જળમગ્ન

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ શાપુરની મુલાકાત - શાપુર હોનારતની ભયાનકતને ધ્યાને લઈને જે તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ તાકીદે શાપુરની મુલાકાત કરી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને તાકીદે જાન અને માલનું જે નુકસાન શાપુર વાસીઓને થયું હતું તેનું વળતર ચુકવવાની જિલ્લા વહીવટી તંત્રને આદેશ પણ કર્યો હતો. ઇન્દિરા ગાંધીના શાપુર મુલાકાતને લઈને પૂર પીડિતોને ન્યાય મળવાની આશા (Highest Rainfall in Junagadh) બંધાઈ હતી. જે થોડા જ સમયમાં પશુધનથી લઈને જાનમાલના નુકસાનનું વળતર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદના પગલે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું, જુઓ વીડિયો

હોનારત મુખ્ય ધારામાં શામેલ - 22 જૂનના દિવસે પડેલા અતિભારે વરસાદે શાપુરને ખૂબ જ નુકસાન કર્યું હતું. આવી પરિસ્થિતિમાં શાપુરને ફરી એક વખત મુખ્ય ધારામાં શામેલ કરવા માટે સરકાર અને સામાજિક સંગઠનોએ પણ ખુબ જ જુસ્સાભેર કામ કર્યું હતું. હોનારતના 24 કલાક બાદ શાપુર ગામમાં વીજળીનો પ્રવાહ પૂર્વવત્ કરી દેવામાં આપ્યો હતો. સામાજિક અને સરકારી સંગઠનો દ્વારા જળ પ્રલય બાદ કોઈ મહામારી ન ફેલાઈ તે માટે સફાઈ અભિયાન પણ શરૂ કરીને શાપુરને ફરી એક વખત મુખ્ય ધારામાં શામેલ કરવામાં ખૂબ સારી કામગીરી કરી હતી. જળ હોનારતને કારણે મોટાભાગના ઘરોમાં અનાજ અને ખોરાકનું (Shapur Disaster 39 Years) ખૂબ નુકસાન થવા પામ્યું હતું. પરંતુ, સરકારના પ્રયાસોને કારણે લોકોને ઘર બેઠા ભોજનની વ્યવસ્થા પણ કરાવવામાં આવી હતી.

Last Updated :Jun 22, 2022, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.