Policy for electric vehicles બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા, જાણો વિગત

author img

By

Published : Oct 27, 2021, 11:00 PM IST

Policy for electric vehicles બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા, જાણો વિગત

સુરત શહેરને પ્રદુષણમુક્ત સ્માર્ટ સિટી બનાવવાના ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ મુજબ વધુને વધુ ઈલેકટ્રિક વાહનો વધે તેવા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ માટે સુરતમાં ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી ( Policy for electric vehicles ) પણ તૈયાર કરવામાં આવી છે. ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી બનાવનાર સુરત ( Surat Corporation ) ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા છે.

  • સુરતમાં ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી પણ તૈયાર કરવામાં આવી
  • શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે
  • મનપા દ્વારા શહેરમાં 500 જેટલા ચાર્જીગ સ્ટેશનો બનાવવાનું પણ આયોજન છે

સુરત : શરૂઆતના તબક્કામાં મનપાના 20 ટકા વાહનો ઈલેકટ્રિક મળશે, જે લડ્યાંક આગામી જુન 2025 સુધીમાં મનપા પૂર્ણ કરવા ધારે છે, ત્યારબાદ આ ટકાવારી વધારવામાં આવશે. ઈલેકટ્રિક વાહનો માટે મનપા દ્વારા ( Policy for electric vehicles ) વિવિધ પ્રોત્સાહનો અને સુવિધાઓ આપવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઈલેકટ્રિક વાહનોને મનપાના પે એન્ડ પાર્કમાં પ્રથમ ત્રણ વર્ષ વિનામૂલ્ય પાર્કિંગનો લાભ પન્ન આપવામાં આવશે. શહેરમાં ક્લિન ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ થાય અને શહેરનાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો થાય તે છે. શહેરમાં પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે સુરત મનપા દ્વારા વિવિધ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવામાં આવશે. આ માટે મનપા ( Surat Corporation ) દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવવામાં આવી છે.

3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે

વ્હીકલ ટેક્સમાં માફી સહિત વિવિધ પ્રોત્સાહનો સાથેની ઇલેક્ટ્રિકલ્ડિક્લ પોલિસી ( Policy for electric vehicles ) બનાવી, 2025 બાદ તબક્કાવાર ‘ઇવી’ વાહનોની ટકાવારી વધારવામાં આવશે. બીજા વર્ષે 75 ટકા ત્રીજા વર્ષે 50 ટકા તેમજ ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી 25 ટકા માફી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. જે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.

સુરત મહાનગરની ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી જાણો

40,000 ઇલેક્ટ્રિક હીકલ પરિવહન સેવામાં સામેલ થશે

ઇલેક્ટ્રિક હીકલ ખરીદનારને પોલિસીના અમલવારીના પ્રથમ ત્રણ વર્ષ માટે વાહનો સુરત વ્હીકલ પોલિસી-2021 ( Policy for electric vehicles ) નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વાહનોનાં લક્ષ્યાંક પૈકી 20 ટકા ઇલેક્ટ્રિક શહેરની પરિવહન સેવામાં સામેલ થાય તે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે કે, સુરત શહેરમાં જૂન -2025 સુધીમાં રાજ્યમાં કુલ 2 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંક સામે કુલ 40,000 ઇલેક્ટ્રિક વ્હીકલ પરિવહન સેવામાં સામેલ થશે.

શહેરમાં 500 જેટલા ચાર્જિંગ સ્ટેશનો બનાવાશે

ઓગસ્ટ 2021ની સ્થિતિએ શહેરમાં કુલ 33,00,575 વાહનો નોંધાયા છે. વર્ષ 2030માંં આ વાહનોની સંખ્યા 58 લાખથી વધુ થશે. શહેરીજનો ઈલેક્ટ્રિક વાહનો ખરીદે તે માટે મનપા દ્વારા નવી પોલિસીના ( Policy for electric vehicles ) અમલવારીના પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને ટેક્સમાં રાહત પણ આપશે. મનપા દ્વારા શહેરમાં 500 જેટલા ચાર્જીગ સ્ટેશનો બનાવવાનું પણ આયોજન છે. જેમાં 200 સરકારની ગ્રાન્ટથી , 150 જનભાગીદારીથી અને અન્ય 150 મોલ, થીયેટર, બેંક સહિતના જાહેર સ્થળોએ જનજાગૃતિ માટે બનાવવામાં આવશે. જનભાગીદારીથી ચાર્જીંગ સ્ટેશન ઉભું કરનારને મનપા ( Surat Corporation ) રૂ 1 પ્રતિ ચોરસ મીટરના દરે, પ્રથમ બે વર્ષ માટે જમીન આપવામાં આવશે, અને ત્રીજા વર્ષથી ચાર્જીંગ સ્ટેશન ઉભું કરનાર સાથે રેવન્યુ શેરીંગ કરાશે. ડેવલપર સ્થળ પર જાહેરાત, ખાણીપીણીની કેન્ટીન, આધારિત મંજૂરી આપવા પણ વિચારાશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ- ડીઝલના વધતા ભાવ અને સરકારે જાહેર કરેલી સબસીડી બાદ ઈ- વાહનોના વેચાણમાં થયો વધારો

આ પણ વાંચોઃ રાજ્યમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર્સની માગમાં વધારો, સુરતમાં દોઢ મહિનાનું ચાલી રહ્યું છે વેઈટીંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.