સુરતમાં આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત મેયરનો ઘેરાવ કર્યો

author img

By

Published : Mar 16, 2021, 3:33 PM IST

સુરત

સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાનો આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2માં લગાવેલા પાણીના મીટરની રજૂઆત કરાતા ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તે બાબતે હેમાલીબેન દ્વારા પણ આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીને ઠપકો આપવામાં આવ્યો હતો.

  • મેયર હેમાલી ભોગાવાલાએ મિડીયા સાથે કરી વાત
  • વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કરાઈ રજૂઆત
  • મેયરે વિપક્ષ નેતાને આપ્યો ઠપકો

સુરત: નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલાનો આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2માં લગાવેલા પાણીના મીટરને લઈને અને વેરાબિલ માટે રજૂઆત કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હેમાલીબેન બોઘાવાલાનો ઘેરાવ કરીને રજૂઆત કરવામાં આવી હતી અને એક પછી એક જે કામો અને ડીમોલેશન વિશેના સવાલો કર્યા હતા. ત્યારે હેમાલી બોઘાવાલાએ કડક શબ્દોમાં ઉત્તરો આપ્યા હતાં.

મેયર હેમાલીબેન બોઘાવાલા

આ પણ વાંચો:સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા સાથે ETV Bharatની ખાસ વાતચીત

આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ મેયર હેમાલી બોઘાવાલાએ મિડીયા સાથે વાત કરી

આમ આદમીની પાર્ટીના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા રજૂઆત કરવામાં આવતા તેનો સ્વિકાર કરીને તેમણે બાદમાં પ્રેસ બ્રિફિંગ પણ કર્યું હતું. તેમણે આ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી હતી:

  1. સુરતની જનતાને 24x7 પાણી આપવા માટેની યોજના છે.
  2. આર્થિક રીતે અને વ્યવસાય વેરા માટે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે.
  3. પ્રજાને મિલકત વેરાની સહીત યુઝર ચાર્જમાં 50% રાહત આપવામાં અને અન્ય ઉઘણી બંધ કરો.

આ પણ વાંચો:સુરતમાં કોણ બનશે મેયર ? દર્શની કોઠીયા કે, હેમાલી બોધવાળા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.