Harsh Sanghvi Knock to Police Officers : સુરતમાં પ્રેરણા કેન્દ્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓને આપી ચીમકી, શું કહ્યું જાણો

author img

By

Published : Apr 8, 2022, 8:02 PM IST

Harsh Sanghvi Knock to Police Officers : સુરતમાં પ્રેરણા કેન્દ્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓને આપી ચીમકી, શું કહ્યું જાણો

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (HMGujarat ) ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે (Prerna Kendra in Surat ) નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને મને જાણ થશે તો હું પગલાં (Harsh Sanghvi Knock to Police Officers)ભરીશ.

સુરત : સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતીઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર (Prerna Kendra in Surat ) તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ (HMGujarat )લોકાર્પણ કર્યું હતું. પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. અહીં આવેલા ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓને ચીમકી (Harsh Sanghvi Knock to Police Officers)આપી હતી.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની અપેક્ષા વ્યક્ત કરવા સાથે અધિકારીઓને ચીમકી આપી

શું મળશે લાભ - આ ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે.

આ પણ વાંચોઃ સુરતમાં યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ, બ્રિજ ઉપર ટોળું જોઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાફલો રોક્યો

નાગરિકો સાથે પોલીસ દ્વારા માનવીય વર્તન થાય તે જરૂરી - આ અવસરે ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ (HMGujarat ) જણાવ્યું હતું કે પોલીસ અને સમાજ વચ્ચે અંતર ઘટે તે માટે ગૃહવિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વધુમાં વધુ ફૂટ પેટ્રોલિંગ કરીને સમાજમાં રહેલી સમસ્યાઓનું મૂંલ્યાકન કરીને તેને દૂર કરવાના માટે પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Rape Cases In Gujarat: રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને ગૃહપ્રધાને કરાવ્યો સર્વે, સામે આવ્યા 2 કારણો

સમય હોય તેટલા લોકોને જ બોલાવો - હર્ષ સંઘવીએ (HMGujarat ) જણાવ્યું કે પોલીસ સ્ટેશને કામ અર્થે આવતા નાગરિકો સાથે પોલીસ દ્વારા માનવીય વર્તન થાય તે જરૂરી હોવાનું જણાવીને ગેરવર્તણૂંક કરનારા જવાનો સામે ફરિયાદ આવશે તો તેની સામે કાર્યવાહી (Harsh Sanghvi Knock to Police Officers) કરવામાં આવશે. હું ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેંમની સામે પગલાં ભરીશ. જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલાવવામાં આવે અને કામગીરી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.