ટિખળખોરોનો ત્રાસ, એવું કૃત્ય કર્યું કે ટ્રેનમાં પ્રવાસીઓનો જીવ જોખમાયો

author img

By

Published : May 11, 2022, 6:58 PM IST

તિખળખોરોનો ત્રાસ, એવું કૃત્ય કર્યું કે ટ્રેનમાં પ્રવાસાઓની જીવ જોખમાયો

ઉમરગામ રેલવેસ્ટેશન(Umargam railway station) પાસે રેલવેટ્રેક ઉપર પથ્થર મુકી બાંન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનમાં(Bandra Vapi passenger train) પ્રવાસ કરતા પ્રવાસાઓની સલામતી જોખમાય તેવું કૃત્ય કરી નાસી ગયા હતા. આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ રેલવે(Local Crime Branch Western Railway) સુરત અને વાપી રેલવે પોલીસ વડોદરા યુનિટે ઝડપી પાડ્યા છે.

સુરત: બાંદ્રા-વાપી પેસેન્જર ટ્રેનમાં સવાર પ્રવાસીઓની સલામતી જોખમમાં મૂકીને ઉમરગામ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર પથ્થરમારો કરીને નાસી છૂટેલા ગુનેગારને GRP લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત અને વાપી રેલવે પોલીસ વડોદરા(Railway Police Vadodara) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછ મુજબ આરોપીઓની ઉમર માત્ર 19 અને 20 વર્ષની છે. બન્ને ટિખળખોરોએ મજાકના રૂપમાં રેલ્વે પર ટ્રેક ઉપર પથ્થર મૂકી દીધા હતા.

રેલ્વે ટ્રેક ઉપર પથ્થર મુકી બાંન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનમાં  પ્રવાસ કરતા પ્રવાસાઓની સલામતી જોખમાય તેવું કૃત્ય
રેલ્વે ટ્રેક ઉપર પથ્થર મુકી બાંન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસાઓની સલામતી જોખમાય તેવું કૃત્ય

આ પણ વાંચો: GRP કોન્સ્ટેબલે પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે ફસાયેલી મહિલાને આ રીતે બચાવી, જૂઓ વીડિયો

કોઇ પેસેન્જરને કોઇ નુકસાન થયું ન હતું - 27 એપ્રિલ, 2022ના રોજ એક અનામી શખ્સે ઉમરગામ રેલવે સ્ટેશન(Umargam railway station) નજીક રેલ્વે પાટા પર પથ્થર ફેંક્યો હતો, જેના કારણે પસાર થતી બાંદ્રા વાપી પેસેન્જર ટ્રેન સાથે અકસ્માત થયો હતો. એન્જિનનો કેટલ ગાર્ડ(Engine kettle guard) તૂટી ગયો હોવાની જાણ કરવા પાઇલટે રેલવે ટ્રેન સ્ટેશન પર ફોન કર્યો હતો. આ ઘટનામાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે. જો કે તેમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી. તેના પર IPC કલમ 336 અને રેલવે અધિનિયમની કલમ(Section of the Railway Act) 152 હેઠળ રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ટ્રેન પ્રવાસીઓની ભૌતિક સુરક્ષાને જોખમમાં મૂકવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

487 જેટલા શખ્સોની પુછપરછ - આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસે 12 દિવસ સુધી ઉમરગામ રેલ્વે સ્ટેશન અને આસપાસના નગરોના રહેવાસીઓની પૂછપરછ કરવા માટે સાદા યુનિફોર્મમાં ઘણી ટુકડીઓ બનાવી હતી. રેલવે ટ્રેક ઉપર કામ કરતા 487 રેલવે કર્મચારીઓ, કામધંધાવાળા, મજુરી કામ કરતા, ફેરિયાઓ, તેમજ ટ્રેકની આજુબાજુ કચરા, ભંગાર વીણવાવાળા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. કુલ 34 શકમંદોને ઉમરગામ રેલવે સ્ટેશને લઈ જવાયા બાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દારૂડીયાની નફ્ફટાઈ: બિહારમાં ડ્રાઈવરે દારૂ પીવા માટે ટ્રેન રોકી, પછી જે થયુ...

મજાક મસ્તી અને ટિકલખોરી કરવા આ કૃત્ય - ટ્રેનની ટ્રેક ઉપરથી પથ્થરો ફેંકવાની ઘટનામાં બે લોકો હતા જેઓ રેલવેના પાટા પરથી કચરો વીણતા હતા. અક્ષય, 19, અને નુર મહમંદ, 20, બન્નેની ધરપકડ કરવામાં આવી છે. સુરત રેલ્વે પોલીસના જણાવ્યા મુજબ, બન્નેએ મજાકમાં રેલવે ટ્રેક તરફ પથ્થરો ફેંક્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.