Delkar પરિવાર ચૂંટણીના જંગમાં, ભાજપના જીતના દાવા સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ

author img

By

Published : Oct 9, 2021, 2:03 PM IST

Delkar પરિવાર ચૂંટણીના જંગમાં, ભાજપના જીતના દાવા સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભાની પેટાચૂંટણીમાં (UT Dadra Nagar Haveli Lok Sabha by-election ) ભાજપે (BJP) પોતાનો ઉમેદવાર 20,000 હજાર મતથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે તેની સામે અનેક ગંભીર આક્ષેપો કરી ડેલકર પરિવારે (Delkar Family) જણાવ્યું હતું કે જે તેના પિતા સમાન મોહન ડેલકર (Mohan Delkar) સાથે અને તેના ગામના લોકો સાથે વિશ્વાસઘાત કરી શકે તે દાદરા નગર હવેલીના મતદારોનો ક્યારેય નહીં થાય.

  • દાદરા નગર હવેલીમાં ભાજપ-શિવસેના આમનેસામને
  • ભાજપે 20 હજારની સરસાઈથી જીત મેળવવાની આશા વ્યક્ત કરી
  • ડેલકર પરિવારે ભાજપના ઉમેદવાર પર વિશ્વસઘાતના આક્ષેપો કર્યા

સેલવાસ : 2019માં લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી વિજય મેળવનાર મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી દાદરા નગર હવેલીની લોકસભા પેટાચૂંટણી (UT Dadra Nagar Haveli Lok Sabha by-election )માટે શુક્રવારે ભાજપની (BJP) સામે શિવસેનાના (Shivsena) બેનર હેઠળ સ્વર્ગીય મોહન ડેલકરના (Mohan Delkar) પત્ની કલાબેન ડેલકરે (Kalaben Delkar) ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપે પોતાનો ઉમેદવાર 20,000 મતથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ડેલકર પરિવારે જણાવ્યું હતું કે ડેલકર પરિવાર પ્રદેશના હિત માટે બલિદાન આપતો પરિવાર છે અને જીત તેમની થશે.

Delkar પરિવાર ચૂંટણીના જંગમાં, ભાજપના જીતના દાવા સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ

મહેશ ગાવીતની જીતશેઃ ભાજપનો વિશ્વાસ

શુક્રવારે દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી મહેશ ગાવિતે (Mangal Gavit) ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે મહેશ ગાવિત ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતાં. ત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, અમે પૂરા વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું છે. રેલીમાં દરેક ગામના લોકો જોડાયા છે. આ ચૂંટણી ભાજપ 20 હજાર મતોની સરસાઈથી જીતશે.

શિવસેના લોકસભા સીટ જીતીને બતાવશે

આ તરફ શિવસેના તરફથી ઉમેદવારી કરનાર કલાબેન ડેલકરના ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે પાલઘરથી આવેલા શિવસેનાના ધારાસભ્ય શ્રીનિવાસ ચિંતામન વાંગએ જણાવ્યું હતું કે, કલાબેન ડેલકરને શિવસેનાનો સંપૂર્ણ ટેકો છે. સ્વર્ગીય મોહન ડેલકર સાથે તેમના પિતાના પારિવારિક સંબંધો હતાં. બંને સાથે ભાજપે દગાખોરી કરી હતી. તે દરમિયાન શિવસેનાએ તેમને ટિકીટ આપી છે. જે રીતે તેઓ પાલઘર સીટ પર વિજેતા બન્યા છે. તેવી જ રીતે કલાબેન ડેલકર પણ દાદરા નગર હવેલીની લોકસભા સીટ જીતીને બતાવશે.

મોહન ડેલકરે જે આત્મહત્યાનું પગલું ભર્યું તે કોના કારણોસર ભર્યું તે લોકો જાણે છે

જ્યારે કલાબેન ડેલકરના અને સ્વર્ગીય મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને ગદ્દાર-વિશ્વાસઘાતીની ઉપમા આપતા ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પિતા મોહન ડેલકરે જે આત્મહત્યાનું પગલું ભર્યું તે કોના કારણોસર ભર્યું તે લોકો જાણે છે. ઐતિહાસિક જીત મેળવ્યા બાદ લોકોના કામ થતાં નહોતાં તેથી તે દુઃખી હતાં. તેમની સપનું હતું કે પ્રદેશના લોકોને રોજગારી મળે, નોકરી મળે, આદિવાસી દિવસની જાહેર રજા મળે, પરપ્રાંતીય કામદારોને રોજગાર મળે તેમના આ જનહિતના કામો માટે તેને પદ છોડવાની ધમકી મળતી હતી. પરંતુ ડેલકર પરિવાર ક્યારેય ઝૂક્યો નથી. આ લોકસભાની પેટા ચુંટણીમાં તેઓ જીત મેળવીને તે તમામ મુદ્દાઓ પર લોકહિતના કાર્યો કરશે.

પેટાચૂંટણીમાં ડેલકર ફેમિલીનો પ્રચાર જંગ
પેટાચૂંટણીમાં ડેલકર ફેમિલીનો પ્રચાર જંગ

પુત્ર સમાન દરજ્જો આપ્યા બાદ વિશ્વાસઘાત કર્યો

અભિનવ ડેલકરે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત પર પ્રહારો કર્યા હતા કે 2014માં જ્યારે તેણે ભાજપ પાસે ટિકીટ માંગેલી ત્યારે આ જ ભાજપે તેને સ્થાન નહોતું આપ્યું એ સમયે પિતા મોહન ડેલકર તેમની મદદે આવ્યા હતાં. પિતાની જેમ મદદરૂપ થયા હતાં. પુત્રથી વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમ છતાં તેમણે વિશ્વાસઘાત કર્યો હતો. 2015થી 2020 દરમિયાન તે ડેલકરની આંગળી પકડી રાજકારણમાં આવ્યાં અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યાં પરંતુ તેનો લાલચુ સ્વભાવ છે.

ગામના લોકોનો નથી થયો તે દાદરા નગર હવેલીનો પણ નહીં થાય

તેમણે હોટેલ માટે ડેલકર પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. તો આ ચૂંટણી જીત્યા બાદ તે પ્રજા સાથે કેટલો વિશ્વાસઘાત કરશે. જે વ્યક્તિ તેમના પોતાના ગામના લોકોનો નથી થયો તે દાદરા નગર હવેલીનો પણ નહીં થાય જ્યારે ડેલકર પરિવાર આ પ્રદેશ માટે પ્રદેશની જનતાના હિત માટે બલિદાન આપતો આવેલો પરિવાર છે. આ લોકસભા ચૂંટણી જીતીને મોહન ડેલકરની જેમ જ પ્રજાનો અવાજ દિલ્હીમાં લઈ જશે.

મહારાષ્ટ્ર સરકારે ડેલકર પરિવારને ખૂબ જ મદદ કરી

ઉલ્લેખનીય છે કે મોહન ડેલકરના નિધન બાદ તેમને આત્મહત્યા કરવા મજબૂર કરનાર દાદરા નગર હવેલીના પ્રશાસનિક અધિકારીઓ સામે ન્યાય આપવામાં મહારાષ્ટ્ર સરકારે ડેલકર પરિવારને ખૂબ જ મદદ કરી છે. તે ઋણ ઉતારવા અપક્ષ તરીકે ચૂંટણી લડવા સક્ષમ હોવા છતાં મોહન ડેલકરના પત્ની કલાબેન શિવસેનાના બેનર હેઠળ આ ચૂંટણી લડી રહ્યાં છે. હવે આ પ્રતિષ્ઠાના જંગમાં કોણ કોને મ્હાત આપશે? મતદારો કોને પ્રદેશના સાંસદ બનાવશે? તે તો 30 ઓક્ટોબરના મતદાન અને 2જી નવેમ્બરના પરિણામ બાદ જ જાણવા મળશે.

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી

આ પણ વાંચોઃ ડેલકર આત્મહત્યા કેસમાં દાખલ થયેલી FIRમાંથી નામ હટાવવા માટે સેલવાસ જિલ્લા કલેક્ટરે કરી અરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.