સેલવાસના સુરંગીમાં દીવાલ ધરાશાયી, 5 મજૂરનાં મોત, 2 ગંભીરની હાલત ગંભીર

author img

By

Published : Aug 5, 2020, 1:54 PM IST

દીવાલ ધરાશાયી થતાં 5 મજૂરનાં મોત 2 ગંભીર, સેલવાસના સુરંગી ગામે બની દુર્ઘટના

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત રાત્રિના મંગળવારે ભારે વરસાદમાં એક નિર્માણાધીન કંપનીની દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. ધરાશાયી થયેલી દીવાલમાં દબાઈને 5 મજૂરના મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 મજૂર ઘાયલ થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના સુરંગી ગામે નવનિર્મિત ઇન્ડસ્ટ્રીઝના નિર્માણ કાર્ય દરમિયાન રાત્રિના મૂશળધાર વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 મજૂરના ઘટનાસ્થળે મોત નિપજયાં હતાં. જ્યારે 2ની હાલત ગંભીર હોવાનું જણાતાં તેને ખાનવેલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલાં તમામ સ્થાનિક સીંદોની ગામના રહેવાસીઓ હતાં અને કંપનીની દીવાલ નજીક ઝૂંપડું બાંધી તેમાં રહેતા હતાં.

મંગળવારે રાત્રે ધોધમાર વરસાદમાં આ દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ જવાથી મજૂરો મોતને ભેટ્યાં હતાં. આ ઘટનાની જાણકારી સેલવાસ ખાનવેલ પોલીસને મળતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઇ વરસતાં વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.

દીવાલ ધરાશાયી થતાં 5 મજૂરનાં મોત 2 ગંભીર, સેલવાસના સુરંગી ગામે બની દુર્ઘટના

મૃતકોની યાદી

(૧) રાજુ બાપુ જાદવ- ઉમર ૩૫

(૨) અશ્વિન જયરામ- (૧૯)

(૩) બાલુ કાકાળ (૪૦)

(૪) જહિર સોમા (૪૫)

(૫) અનિલ

જયારે ગંભીર રીતે ઘાયલ

(૧) કિરણ દેવજી

(૨) જયેશ દેવજીને ખાનવેલ હોસ્પિટલમાં ખસેડાયાં છે

આ દુર્ઘટનાને લઇને મૃતકોના પરિવાર સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી સાથે અરેરાટી ફરી વળી હતી. જો કે, પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.