રાજ્યમાં હવે આ જગ્યાએ પ્રદૂષણ બનશે ભૂતકાળ, બનશે દેશનો સૌથી મોટો પ્લાન્ટ

author img

By

Published : Sep 10, 2022, 9:01 AM IST

Etv Bharat

રાજકોટના જેતપુરમાં હવે દેશનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ ફિલ્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. અહીં પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે 150 કરોડ રૂપિયાના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ નિર્માણ પાણી રહ્યો છે. તેમાં આ પ્લાન્ટ કાર્યરત્ થતા જેતપુરના પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થઈ જશે. જાણો સમગ્ર વિગતો આમારા આ અહેવાલમાં. largest pure water treatment plant in rajkot, rajkot pollution free city.

રાજકોટ વિશ્વભરમાં કોટન પ્રિન્ટિંગ માટે રાજકોટ જિલ્લાનું જેતપુર (Cotton printing in rajkot) પ્રખ્યાત છે. સાથે સાથે આ ઉદ્યોગો દ્વારા થતું પાણીનું પ્રદૂષણ (water pollution problems) પણ એટલું જ પ્રખ્યાત છે. જોકે, હવે જેતપુરમાં પાણીનું પ્રદૂષણ ભૂતકાળ બને તેવા દિવસો નજીક આવી રહ્યા છે. જેતપુરના પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ કોસ્ટિક હોય છે, જેથી જેતપૂરના ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ (printing industry rajkot city) દ્વારા દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી અને રિયૂઝનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) રાજકોટના જેતપુર ખાતે બનાવવામાં આવી રહ્યો છે.

ટૂંક સમયમાં થશે ફાયદો

ટૂંક સમયમાં થશે ફાયદો જેતપુરમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ કોસ્ટિક રિકવરી અને રિયૂઝ પ્લાન્ટમાં (largest pure water treatment plant in rajkot) રોજના અંદાજે 14 લાખ લિટર પાણીને ફિલ્ટર કરીને શુદ્ધિકરણ કરવાની સાથે સાથે કોસ્ટિક પણ રિકવર કરશે, જેથી આ રિકવરી અહીંયાના યૂનિટ ચાલતા યૂનિટધારકોને પણ આર્થિક ફાયદો કરાવશે અને સાથે તેઓને નજીકમાં જ કાસ્ટિંગ મળી જશે.

શુદ્ધ પાણી છૂટું કરવાનો પ્લાન્ટ
શુદ્ધ પાણી છૂટું કરવાનો પ્લાન્ટ

શુદ્ધ પાણી છૂટું કરવાનો પ્લાન્ટ આ કોસ્ટિકનો ઉપયોગ પ્રિન્ટિંગ ઉદ્યોગ (jetpur dyeing and printing association) અને ખાસ કરીને કપડાંના પ્રોસેસમાં કોસ્ટિકનો મોટો ઉપયોગ થાય છે અને તે જ પાણીને પ્રદુષિત કરે છે. ત્યારે આ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાંથી કોસ્ટિક કાઢી નાખવામાં આવે તો જેતપુરમાં થતા પાણીના પ્રદૂષણની તમામ સમસ્યાનો હલ એક જ જટકે આવી જશે, જેથી જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા રોજના 15 લાખ લિટરના કોસ્ટિક યુક્ત પાણીને ફિલ્ટર કરી તેમાંથી કોસ્ટિક અને શુદ્ધ પાણી બંને છૂટું કરવાનો પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) બનાવવામાં આવી રહ્યો છે.

પ્રદૂષણની સમસ્યાનો ઉકેલવાની સાથે કોસ્ટિક ફરી રિયુઝ થશે
પ્રદૂષણની સમસ્યાનો ઉકેલવાની સાથે કોસ્ટિક ફરી રિયુઝ થશે

પ્રદૂષણની સમસ્યાનો ઉકેલવાની સાથે કોસ્ટિક ફરી રિયુઝ થશે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન (jetpur dyeing and printing association) દ્વારા બનાવેલ આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં ફિલ્ટર થતા પાણીના કુલ 4 થી 7 ટકા જેટલું કોસ્ટિક છૂટું પાડવામાં આવશે અને બાકીનું શુદ્ધ ડિસ્ટીલ પાણી બનશે ત્યારે અહીં મળેલ પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે જે કોસ્ટિક ફરી મળશે. તેનો પણ ફરીથી ઉપયોગ થશે તેવી પણ વિગતો સામે આવી છે, જેથી આ પ્લાન્ટથી જેતપુરના પ્રદૂષણની સમસ્યા (water pollution problems) ઉકેલવા સાથે સાથે કોસ્ટિક ફરી મળતા તેનો રીયુઝ કરી શકાશે.

પ્રતિદિન 11 લાખ રૂપિયાના ખર્ચ સામે 14 લાખ રૂપિયાની આવક
પ્રતિદિન 11 લાખ રૂપિયાના ખર્ચ સામે 14 લાખ રૂપિયાની આવક

ખેડૂતોની કલર વાળા પાણીની સમસ્યા થશે દૂર દેશના સૌથી મોટા કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) જેતપુરમાં બની રહ્યો છે, જેમનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે સામૂહિક રીતે કપડાંના પ્રોસેસ હાઉસના કોસ્ટિકયુક્ત લાખો પાણીનું રોજ ફિલ્ટરેશન કરીને કોસ્ટિક પાણી છૂટું પાડવામાં આવશે, આના કારણે ખેડૂતોને પણ જે રીતે કલરવાળા પાણીની સમસ્યાઓ (water pollution problems) હતી તે દૂર થશે.

ખેડૂતોની કલર વાળા પાણીની સમસ્યા થશે દૂર
ખેડૂતોની કલર વાળા પાણીની સમસ્યા થશે દૂર

પ્રતિદિન 11 લાખ રૂપિયાના ખર્ચ સામે 14 લાખ રૂપિયાની આવક આ પ્લાન્ટમાં પાણીને (largest pure water treatment plant in rajkot) વિવિધ સ્તરે પસાર કરી અને ગરમ કર્યા બાદ તેની વરાળ બનાવી ફિલ્ટર કરવાની તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આ પ્લાન્ટમાં રોજનો અંદાજિત ખર્ચ 11 લાખ રૂપિયા જેટલો રહેશે ત્યારે આ પ્રોસેસ કરીને થયેલ આવક અંદાજીત 14 લાખ જેટલી રહેશે તેવી પણ વિગતો સામે આવી છે.

કારખાનેદારોનો ખર્ચ ઘટશે, નજીકમાં કોસ્ટિક મળતું રહેશે અહીંયા પ્રદુષણયુક્ત પાણી ફિલ્ટર (water pollution problems) થશે અને સાથે જ છેલ્લે જે પાણી મળશે તે 100% ડિસ્ટીલ વોટર (water filter plant) મળશે. આના કારણે અહીંયાના યુનિટ સંચાલકો એટલે કે, કારખાનેદારોને પણ આર્થિક ફાયદો મળશે. આ ઉપરાંત નજીકમાં જ કોસ્ટિક મળી રહેશે, જેથી આ કારખાનેદારોનો ખર્ચ પણ ઓછો થશે તેવું પણ સામે આવ્યું છે.

કારખાનેદારોનો ખર્ચ ઘટશે, નજીકમાં કોસ્ટિક મળતું રહેશે
કારખાનેદારોનો ખર્ચ ઘટશે, નજીકમાં કોસ્ટિક મળતું રહેશે

અન્ય ઉદ્યોગોએ પણ પ્રદૂષણ ઘટાડવા પ્રયત્ન કરવા જોઈએ જેતપુરમાં સર્જાતા પ્રદૂષિત પાણીની સમસ્યા (water pollution problems) ઉકેલવા જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન (jetpur dyeing and printing association) દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે. તે ખરેખર ફાયદાકાર સાબિત થશે, જેથી અન્ય ઉદ્યોગોએ પણ આ રીતે સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ જાતના પ્રદૂષણને નિવારવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે તેવું પણ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું.

આ ઉદ્યોગ લાખો લોકોની રોજીરોટી પૂરી પાડે છે
આ ઉદ્યોગ લાખો લોકોની રોજીરોટી પૂરી પાડે છે

આ ઉદ્યોગ લાખો લોકોની રોજીરોટી પૂરી પાડે છે જેતપુરનો આ પ્રિન્ટિંગ ઉદ્યોગ (Cotton printing in rajkot) અનેકો સ્થાનિક અને અન્ય રાજ્યના લાખો લોકોને રોજીરોટી આપે છે અને અનેક લોકોનું ગુજરાન ચલાવવામાં પણ આ પ્રિન્ટિંગ ઉદ્યોગ સહારો બની ગયો છે. ત્યારે છાશવારે ઘણા લેભાગુ તત્વો આ ઉદ્યોગને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે. આનાથી આ યુનિટો અને આ ઉદ્યોગ પર નિર્ભર રહેતા લાખો લોકોને તેમની અસર પણ પાડી શકે છે.

ઉદ્યોગ માટે નવતર ઉકેલનું ઉદાહરણ વૈશ્વિક સ્તરે દાખલો આ પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) ચાલુ થયા બાદ જેતપુર ઔદ્યોગિક વિસ્તાર પ્રદૂષણમુક્ત થશે, જેથી ભવિષ્યમાં પણ નવા ઉદ્યોગો આવશે અને પ્રિન્ટિંગ ટેક્સટાઈલ માર્કેટમાં એક નવી આશા સાથે એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પડશે તેવું પણ જણાઈ આવે છે.

ભારતનો પ્રથમ શુદ્ધિકરણ પ્લાન્ટ આ પ્લાન્ટ (largest pure water treatment plant in rajkot) વિશ્વનો મોટો સામૂહિક પ્લાન્ટ તેમ જ ભારતનો પ્રથમ શુદ્ધિકરણ પ્લાન્ટ રાજકોટના જેતપુરમાં સ્થાપવામાં આવ્યો છે, જેનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તે દિવાળી પહેલા ચાલુ થઈ જશે તેવું પણ પ્રમુખે જણાવ્યું હતું.

પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થઈ જશે જેતપુરમાં કુલ 150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં હાલ તો 10 વર્ષ ચલાવવાની કામગીરી અને જાળવણી તેમ જ કોસ્ટિક શુદ્ધિકરણ અને કન્સ્ટ્રક્શન માટેનો ખર્ચ કંપનીને આપવામાં આવ્યો છે, જેમાં જેતપુરનાં સાડી ઉદ્યોગના તમામ એકમનું પાણી એક જ જગ્યા પર એકઠું કરી પર્યાવરણ પરની ખરાબ અસર ઘટાડવા માટે તેમ જ ઈન્ડસ્ટ્રીઝ માટે કોસ્ટિકની તકનીક શોધી કોસ્ટિક શુદ્ધિકરણ (water filter plant) સાથે ગંદા પાણીના પુનઃ ઉપયોગનાં પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં હાલ યુદ્ધના ધોરણે કામ પૂર્ણતાના આરે છે જેથી આ પ્લાન્ટ કાર્યરત થતાની સાથે જ જેતપુરનો પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થઈ જશે તેવું જણાઈ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.