Rajkot Child vaccination 2022 : રાજકોટમાં 80,000 બાળકોના વેક્સિનેશનની શરૂઆત

author img

By

Published : Jan 3, 2022, 2:10 PM IST

Updated : Jan 3, 2022, 3:10 PM IST

Rajkot Child vaccination 2022 : રાજકોટમાં 80,000 બાળકોના વેકસીનેશનની શરૂઆત

રાજકોટમાં આજથી 15થી 18 વર્ષના બાળકોના રસીકરણની શરુઆત થઈ ગઇ છે. દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં કોરોના વાયરસ સામે સુરક્ષિત કરવાના હેતુથી ગુજરાતમાં (Rajkot Child vaccination 2022 ) બાળકો માટે શાળાઓમાં જ (Vaccination in Rajkot Schools 2022) વેક્સિનેશનની મેગા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે.

રાજકોટઃ કોરોના વાઈરસના વધતા પ્રકોપ વચ્ચે હવે દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી દેશમાં 18 વર્ષથી ઉપરના નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરીથી દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. જે મુજબ આજે દેશના અલગ અલગ રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત (Rajkot Child vaccination 2022 ) કરવામાં આવી હતી. જેને લઈને શાળાના બાળકોમાં પણ ઉત્સાહ (Vaccination in Rajkot Schools 2022) જોવા મળ્યો હતો.

રાજકોટમાં બાળકોનું રસીકરણ શરુ થઇ ગયું છે

આ પણ વાંચોઃ Child vaccination Gujarat : દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

શહેરમાં અંદાજે 80,000 બાળકોને અપાશે વેકસીન

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં અંદાજીત 15થી 18 વર્ષના 80,000 જેટલા બાળકો નોંધાયેલા છે. જ્યારે જિલ્લાના મળીને અંદાજીત 95,000 જેટલી બાળકોની સંખ્યા થાય છે એ તમામ બાળકોને આજથી કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત (Rajkot Child vaccination 2022 ) કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 255 જગ્યાએ બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. તેમજ શહેરી વિસ્તારોમાં 350 જેટલી શાળાઓ, કોલેજ અને ITIમાં કોરોના વેક્સિન (Vaccination in Rajkot Schools 2022) આપવાની શરુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ

સ્થળ પર જ કોરોના વેકસીન આપવામાં આવશે

આજથી 15થી 18 વર્ષના બાળકોને આજથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બાળકોનું વેકસિનેશન સેન્ટર પર જ રજિસ્ટ્રેશન કરવામાં (Rajkot Child vaccination 2022) આવશે. જ્યારે રજિસ્ટ્રેશન સમયે આ બાળકોનું આધારકાર્ડ અને શાળાનું આઈ કાર્ડ માન્ય રહેશે. જેના વડે 15થી 18 વર્ષના બાળકોને સહેલાઈથી કોરોનાની વેક્સિન આપી શકાશે. રાજકોટમાં મનપાના પદાધિકારીઓ દ્વારા શહેરના ગોંડલ રોડ પર આવેલ જસાણી સ્કૂલમાંથી (Vaccination in Rajkot Schools 2022) બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

Last Updated :Jan 3, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.